Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે અને દિલ્હી-મેરઠ વેનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બે આધુનિક એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ બે એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા બાદ લોકોના જીવન ધોરણમાં જોરદાર સુધારો થનાર છે. તેમના કિંમતી સમયને ઉલ્લેખનીયરીતે બચાવી શકાશે. મોદીએ આ પ્રસંગે દાવો કર્યો હતો કે, ભાવિ ભારત કયા પ્રકારનું રહેશે તેનું એક આ સેમ્પલ તરીકે છે. સમયનું મહત્વ કેટલું છે તે બાબતને દિલ્હીના લોકો ખુબ સારી રીતે સમઝે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના નવ કિલોમીટરના પ્રથમ ખંડનું ઉદ્‌ઘાટન કર્યું હતું. મોદીએ આ ગાળા દરમિયાન પ્રોજેક્ટના સંદર્ભમાં માહિતી પણ આપી હતી. મોડેથી મોદીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સાથે મળીને ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું પણ ઉદ્‌ઘાટન કર્યું હતું. ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન કરવામાં આવ્યા બાદ લોકોના કિંમતી સમયને બચાવી શકાશે. ૧૩૫ કિલોમીટર લાંબા આ એક્સપ્રેસ વેનો માર્ગ પલવલ, ગાઝિયાબાદ અને નોઇડાને સીધીરીતે જોડશે. હજુ સુધી ઉત્તરપ્રદેશથી હરિયાણા અને હરિયાણાથી ઉત્તરપ્રદેશ જનાર આશરે બે લાખ વાહનોને દરરોજ દિલ્હીમાંથી પસાર થવાની ફરજ પડે છે. એક્સપ્રેસ વે બની ગયા બાદ વાહનો દિલ્હીને બાયપાસ કરીને નિકળશે જેથી દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાનો નિકાલ આવશે. બીજી બાજુ આ બંને પ્રોજેક્ટો આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. સોલાર એનર્જીથી વિજળીની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર હાઈવે, રેલવે, એરવે અને વોટરવે ઉપર સૌથી વધુ ધ્યાન આપી રહી છે. ત્રણ લાખ કરોડથી વધારે ખર્ચ હાઈવે બનાવવા ઉપર થઇ રહ્યો છે. મોદીએ કહ્યું હતું કે, ચાર વર્ષ પહેલા એક દિવસમાં ૧૨ કિમી હાઈવે બનતા હતા. આજે ૨૭ કિમી હાઈવે બની રહ્યા છે. ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન કરતા પહેલા પરિવહન મંત્રી નીતિન ગડકરીને પશ્ચિમી ઉત્તરપ્રદેશને પ્રભાવિત કરવા માટે એક વચન આપી દીધું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આગામી વર્ષ સુધી એક્સપ્રેસ વે પૂર્ણ થઇ જશે જેથી દિલ્હીથી મેરઠનું અંતર ૪૦ મિનિટમાં કાપી શકાશે. તે પહેલા મોદીએ આજે સવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના નવ કિમીના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કર્યું હતું. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાને નિઝામુદ્દીન બ્રિજથી દિલ્હી બોર્ડર સુધી છે. આ હિસ્સાને ૧૮ મહિનાના રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવ્યું છે. આમા ૮૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. મોદીએ આજે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આને સૌથી ઝડપી એક્સપ્રેસ વે ગણવામાં આવી રહ્યું છે. કારણ કે, આના ઉપર ૧૨૦ કિમી પ્રતિકલાકની ઝડપથી ગાડી ચલાવાની મંજુરી આપવામાં આવી છે. દિલ્હીને ટ્રાફિક જામની સમસ્યાથી આના કારણે મુક્તિ મળશે.

તીવ્ર ગરમી વચ્ચે મોદીનો રોડ શો : લોકો મોટી સંખ્યામાં રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના પ્રથમ ખંડનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ ગાળા દરમિયાન આ રોડ ઉપર આશરે છ કિલોમીટર સુધી મોદીએ ભવ્ય રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન બંને બાજુ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ૪૩ ડિગ્રી તાપમાન હોવા છતાં મોદીની એક ઝલક મેળવવા માટે માર્ગની બંને બાજુએ લોકો ઉમટી પડ્યા હતા જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મોદીએ પણ તમામ ઉપસ્થિત લોકોનો આભાર ઝિલ્યો હતો. મોદી ખુલ્લી ગાડીમાં રોડ શો માટે નિકળ્યા હતા. મોદીની સાથે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ રહ્યા હતા. તીવ્ર ગરમી હોવા છતાં લોકોએ આની ચિંતા કરી ન હતી. માર્ગના બાજુએ ઉભેલા લોકોને સુરક્ષાના કારણોસર પીવાના પાણી લાવવાની પણ મંજુરી મળી ન હતી છતાં લોકો ભારે ઉત્સાહ વચ્ચે મોદીના નારા લગાવતા નજરે પડ્યા હતા. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના પ્રથમ હિસ્સાનું કામ પૂર્ણ થયું છે. મોદીનો કાફલો અક્ષરધામની પાસે પહોંચ્યો ત્યારે કેટલાક લોકોએ તેમના ઉપર ફુલોની વર્ષા કરી હતી. ત્યારબાદ મોદી સીધીરીતે બાગપત માટે રવાના થઇ ગયા હતા. ઇસ્ટર્ન પેરિફેરલ વેનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ૧૩૫ કિમી લાંબા આ એક્સપ્રેસ વેથી પલવલ, ગાઝિયાબાદ અને નોઇડાને જોડાશે.

Related posts

India was never be a ‘Hindu’ nation and never will be : Owaisi

aapnugujarat

बंगाल में भाजपा के पूर्व पार्षद की हत्या

editor

राष्ट्रपति शासन थोपना जनादेश का अपमान होगा : राउत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1