Aapnu Gujarat
ગુજરાત

પદ્માવતી પર પ્રતિબંધના નિર્ણયને બારશાખ રાજપૂત દ્વારા આવકાર

રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા બાદ હવે ગુજરાતમાં પણ વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ આ નિર્ણયને આવકાર આપવામાં આવ્યો છે. બારશાખ રાજપૂત સમાજ-રાજપૂત યુવા સંગઠન દ્વારા નિર્ણયને આવકાર આપવામાં આવ્યો છે. પ્રતિબંધના નિર્ણયને રાજપૂત સમાજના પ્રમુખ એલએસ ચાવડા, જશવંતસિંહ ચુડાસમા, રાજપૂત યુવા સંગઠનના મુકેશ ચુડાસમા, મહેન્દ્ર ચાવડા, ગુલાબ સોલંકી, મુકુંદ રાજપૂત, ચેતન રાજપૂત સહિતના લોકોએ આવકાર આપ્યો છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત સરકારે ગઇકાલે જ પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેની જાહેરાત કરી હતી. વિજય રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, ફિલ્મમાંથી વિવાદાવાળા સીન દૂર કરવા જોઇએ. અન્ય રાજ્યોમાં પણ પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે.

Related posts

વિધાનસભા ચૂંટણીને લઈને છોટાઉદેપુર કોંગ્રેસમાં વિખવાદ

aapnugujarat

ભાવનગર પૂર્વ મેયર સનત મોદીનું અવસાન

editor

જો હું ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને મળ્યો હોત તો ભાજપ જીતી ના હોતઃ હાર્દિક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1