Aapnu Gujarat
ગુજરાત

સરકાર નિર્ણય નહીં લે તો, જન વેદના સંમેલન કરાશે

ગુજરાત રાજયના બેરોજગાર યુવાનો, આશાવર્કર, આંગણવાડી બહેનો, ખેડૂતો, કોન્ટ્રાકટ અને આઉટસોર્સ કર્મચારીઓના કિસ્સામાં અગાઉ રાજય સરકારે યોગ્ય નિરાકરણ લાવવાની આપેલી બાંહેધરીનું પાલન નહી થતાં અને આ તમામ લોકોના પડતર પ્રશ્નોનું સુખદ સમાધાન નહી થતાં ગુજરાત જન અધિકાર મંચ દ્વારા તા.૧૬મી ઓકટોબર સુધીનું રાજય સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, આવતીકાલે આ અલ્ટિમેટમનો છેલ્લો દિવસ છે અને જો સરકાર દ્વારા આવતીકાલે કોઇ યોગ્ય હકારાત્મક નિર્ણય નહી લેવાય તો, તા.૧૭મી ઓકટોબરના રોજ ગુજરાત જન અધિકાર મંચના નેજા હેઠળ ગાંધીનગરમાં જન વેદના મહાસંમેલન યોજાશે. જેમાં રાજયભરમાં હજારો બેરોજગાર યુવાનો, આશાવર્કર, આંગણવાડી બહેનો, ખેડૂતો, કોન્ટ્રાકટ-આઉટસોર્સ કર્મચારીઓ સહિતના લોકો જોડાશે એમ ગુજરાત જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને શહેર પ્રમુખ હિતેશ ગુપ્તાએ અત્રે જણાવ્યું હતું. જો ગુજરાત સરકાર બેરોજગાર યુવાનો, આશાવર્કર, આંગણવાડી બહેનો, ખેડૂતો, કોન્ટ્રાકટ અને આઉટસોર્સ કર્મચારીઓના મુદ્દે અમારા આંદોલન બાદ પણ જો હકારાત્મક નિર્ણય લઇ તેનો અમલ નહી કરે તો રાજયના આ હજારો બેરોજગાર યુવાનો, આંગણવાડી બહેનો, આશાવર્કર, ખેડૂતો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સહિતના હજારો લોકો આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત સરકાર વિરૂધ્ધ મતદાન કરી પોતાનો આક્રોશ વ્યકત કરશે એમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને શહેર પ્રમુખ હિતેશ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટ કર્મચારીઓ માટે સમાન કામ, સમાન વેતનની નીતિ અખત્યાર કરી તેનો અમલ કરવા, ખેડૂતો માટે ૫૦૦ મીટરનો વિસ્તાર ઇકોઝોન અને તેમની લોન માફીની માંગણી, આશાવર્કર અને આંગણવાડી બહેનોને તેમના કામ પ્રમાણે વેતન, બેરોજગાર યુવાનોને તાકીદે રોજગારી, ફિકસ પગાર પ્રથા કાયમી ધોરણે બંધ કરવામાં આવે, કાયમી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે સહિતની બાંહેધરી અગાઉ ખુદ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી હતી પરંતુ તેને એક વર્ષ વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા તેનું પાલન કરાયું નથી. જેને લઇ રાજયના હજારો બેરોજગાર યુવાનો આંગણવાડી બહેનો, આશાવર્કર, ખેડૂતો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સહિતના હજારો લોકોમાં સરકાર પરત્વે ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે. હજારો બેરોજગાર યુવાનો આંગણવાડી બહેનો, આશાવર્કર, ખેડૂતો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના મુદ્દે અમે રાજયના મુખ્યમંત્રીને તા.૧૬મી ઓકટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે, જો આવતીકાલ સુધીમાં સરકાર દ્વારા ઉપરોકત માંગણીઓ અંગે હકારાત્કમ નિર્ણય નહી જાહેર કરાય તો, તા.૧૭મી ઓકટોબરે ગાંધીનગરમાં ગુજરાત જન અધિકાર મંચના નેજા હેઠળ ગાંધીનગર ખાતે જન વેદના મહાસંમેલન યોજવામાં આવશે, જેમાં રાજયભરમાં હજારો બેરોજગાર યુવાનો, આશાવર્કર, આંગણવાડી બહેનો, ખેડૂતો, કોન્ટ્રાકટ-આઉટસોર્સ કર્મચારીઓ સહિતના લોકો જોડાશે. જો સરકાર આંદોલન બાદ પણ નહી માને તો, આ તમામ લોકો વિધાનસભા ચૂંટણીમાં સરકાર વિરૂધ્ધ મતદાન કરી હજારો-લાખો મતોનું નુકસાન પહોંચાડશે.

Related posts

યુટીએસ એપ દ્વારા રેલ્વેમાં ટિકિટ બુકીંગમાં ડિસ્કાઉન્ટ

aapnugujarat

બોટાદમાં કોરોના વોરિયર્સની અટકાયત

editor

જમીન મહેસુલી કાયદાના સુધારાના નિયમ અમલમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1