આ વર્ષે અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને પરિણામે શહેરનાં છ ઝોનમાં આવેલા મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ મળીને કુલ ૨૦૨ કિલોમીટરનાં રસ્તાઓ ઉપર ખાડા પડી જવા પામ્યા છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ આઈટી સેલ દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસના નામે પોસ્ટર લગાવી વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકીય વોર શરૂ કરવામા આવ્યુ છે.આ અંગે મળતી માહિતી અનુસાર,કોંગ્રેસના આઈટી સેલ દ્વારા શહેરના રામદેવનગર ચાર રસ્તા,વસ્ત્રાપુર ખાતે આવેલી સંજીવની હોસ્પિટલથી હિમાલયા મોલ,વેજલપુર વિસ્તારમા બુટભવાની માતાના મંદિરથી જીવરાજ ચાર રસ્તા,અનુપમ સિનેમા રોડ,શાહપુર કોર્ટ,રખિયાલ ચાર રસ્તા,ઈન્કમટેકસ ક્રોસ રોડથી ઉસ્માનપુરા સુધીના અલગ અલગ વિસ્તારોમા જ્યાં જયાં ખાડાઓ પડી જવા પામ્યા છે તેવા તમામ સ્થળોએ વિકાસ ગાંડો થયો છે આઘા રહેજોના પોસ્ટર લગાવવામા આવતા રાજયમા આવનારા સમયમા યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી અગાઉ પોસ્ટર દ્વારા કોંગ્રેસ દ્વારા રાજકીય વોર શરૂ કરી દેવામા આવ્યુ હોવાનુ સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
આગળની પોસ્ટ