નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમ પર દરવાજા લાગી જતા પાણી સંગ્રહમાં તો વધારો થયો છે,પરંતુ ડેમની ઉપરવાસમાં રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. ડેમના ઉપરવાસમાં જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી ગ્રામજનોએ જીવ જોખમમાં મૂકીને નદી પાર કરવી પડે છે. અને તેમના માટે સરકારે આ જ દિન સુધી કોઈ પણ જાતનો રસ્તો બનાવ્યો નથી કે અન્ય કોઈ સુવિધા આપી નથી. જેથી ગ્રામજનોએ જીવન નિર્વાહની વસ્તુ લેવા માટે ફક્ત કેવડિયા કોલોની જ વિકલ્પ છે. બીમાર દર્દીને પણ કેવડિયા ખાતે બોટમાં લઈને આવવું પડે છે. ઉપરવાસના રહેવાસીઓ માટે અરવરજવર કરવા માટે બોટ જ એક માત્ર વિકલ્પ બની રહી છે. ત્યારે ચોમાસામાં પાણીનો પ્રવાહ વધી જાય ત્યારે આ રહેવાસીઓ મોટી મુસીબતમાં મૂકાઈ જાય છે. તેમજ બોટમાંથી નદી પાર કરીને આવતા હોવાથી વારંવાર પોલીસ તપાસની હેરાનગતિ પણ વેઠવી પડે છે.નર્મદા ડેમના ઉપરવાસના મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર રહેતા લોકો લોકો માત્ર દર રવિવારે ખાનગી બોટોમાં હાટમાં આવે છે. તેઓ પોતાના ઘરેથી બાઈક લઈને સાત કિલોમીટર દૂર નર્મદા નદી સુધી પહોંચે છે. ત્યાંથી તેમની બાઈકને પણ બોટમાં મૂકીને આવે છે અને ત્યાંથી કેવડિયા ખાતે આવે છે અને ખરીદી કરીને પરત જાય છે. આ બોટને પાણીમાં ચાર કલાકનો રસ્તો થાય છે. જયાં મગર અને વરસાદનું જોખમ હોય છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદીને પરત જાય છે તે કેવડિયા ખાતે આવે ત્યારે તેઓને પોલીસની ચકાસણીમાંથી પણ પસાર થવું પડે છે તેમજ નર્મદા ડેમની સિક્યુરિટી પણ હોય છે ત્યાંની પણ ચકાસણીમાંથી પસાર થવું પડે છે અને તેના કારણે સમયનો પણ ઘણો વ્યય થાય છે.
આગળની પોસ્ટ