સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી અમરેલી ખાતે થનાર છે. આ પ્રસંગે કૃષિ રાજયમંત્રીશ્રી વી.વી. વઘાસીયાના હસ્તે તા.૧૫ ઓગષ્ટ-૨૦૧૭ને મંગળવારના રોજ સવારે ૯.૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ચિતલ રોડ-અમરેલી ધ્વજવંદન કરશે. કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, યોગ નિદર્શન, વૃક્ષારોપણ, પોલીસ, હોમગાર્ડસ અને એન.સી.સી.ના જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. આ ઉપરાંત રંગારંગ સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.