Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં હાર્દિક ટીમનું નેતૃત્વ કરશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ ખતમ થઈ ગઈ છે. સીરિઝને ટીમ ઈન્ડિયાએ ૨-૧થી પોતાના નામે કરી લીધી છે. હવે વનડે સીરિઝનો વારો છે, જે આગામી ૧૭ માર્ચના રોજ રમાશે. આ વર્ષે યોજાવા જઈ રહેલાં વર્લ્ડ કપ પહેલાં સીરિઝને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ત્રણ મેચોની આ સીરિઝને લઈ ટીમ ઈન્ડિયા સામે અનેક પડકારો છે. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા સામે ભારતને ત્રણ મેચોની સીરિઝ રમવાની છે. પહેલી મેચ ૧૭ માર્ચે મુંબઈમાં, બીજી મેચ ૧૯ માર્ચે વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી મેચ ૨૨ માર્ચે ચેન્નાઈમાં રમાવા માટે જઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મિશન માટે કેટલી તૈયાર છે, એના પર નજર કરીએ. કેપ્ટન રોહિત શર્મા પહેલી મેચમાં નહીં રમે. પારિવારીક કારણોસર તેણે રજા લીધી છે. ત્યારે પહેલી મેચમાં ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હશે. ભારત જ નહીં પણ ઓસ્ટ્રેલિયા ટીમનો કેપ્ટન પણ બદલાઈ ગયો છે. પૈટ કમિંસની માતાનું નિધન થતાં તે ભારત પરત ફર્યો નથી. આવામાં સ્ટિવ સ્મિથ કેપ્ટનસી સંભાળશે. તો સીરિઝ શરુ થાય એ પહેલાં જ શ્રેયસ અય્યર ઘાયલ થઈ ગયો છે. અમદાવાદમાં રમાયેલી ટેસ્ટ પણ તે પૂરી કરી શક્યો નહોતો. એની જગ્યાએ હજુ સુધી કોઈ પણ જાતના રિપ્લેસમેન્ટની જાહેરાત થઈ નથી. ટીમ ઈન્ડિયા વનડેમાં નંબર ૧ ટીમ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા નબંર ૨ પર છે. બંને વચ્ચે માત્ર બે જ પોઈન્ટનું અંતર છે. જો ઓસ્ટ્રેલિયા સીરિઝ જીતી જાય છે તો રેન્કિંગ બદલાઈ શકે છે. જો બંને ટીમો વચ્ચે રમાયેલી ગઈ વનડે સીરિઝને જોવામાં આવે તો તેમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ હતી. આ સીરિઝ ઓસ્ટ્રેલિયામાં જ રમાઈ હતી. જેમાં ભારતને ૧-૨થી હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચોનો રેકોર્ડ જોવામાં આવે તો અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે કુલ ૧૪૩ મેચ રમાઈ છે. જેમાંથી ૮૦ ઓસ્ટ્રેલિયા અને ૫૩ મેચ ભારતે જીતી છે. જો ભારતમાં રમાયેલી વનડે મેચો પર નજર કરવામાં આવે તો બંને ટીમ કુલ ૬૪ વાર આમને સામને થઈ છે. અહીં ઓસ્ટ્રેલિયાએ ૩૦ અને ભારતે ૨૯ વનડે મેચ જીતી હતી.

Related posts

पाकिस्तान के सिख गेंदबाज की ख्वाहिश भारत के खिलाफ खेलने की

editor

मिताली राज ने की BCCI की तारीफ

editor

દિપક ચહર બે અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1