ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
હિંદુ સંસ્કૃતિ તથા દેવી-દેવતાઓ વિશે છેલ્લા ઘણા સમયથી વારંવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માંથી વિવિધ પ્રકારના પિક્ચરોના માધ્યમ વડે હિંદુ સંસ્કૃતિ તથા હિન્દુ દેવી દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ મજાક ઉડાડી, કોમેન્ટો અને આશાસ્પદ વાતો દેખાડવામાં આવી રહી છે તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દલ, હિંદુ જાગરણ મંચ તથા હિંગળાજ યુવા સંગઠન દ્વારા રાવણલીલા પિકચરનો વિરોધ કરવામાં આવ્યો અને પિચચરને રિલીઝ થતું અટકાવવાની માંગ કરવામાં આવી.
વધુમાં જણાવ્યું હતું કે જો પિક્ચરને અટકાવવામાં નહીં આવે તો ફોજદારી કાર્યવાહી પણ કરતાં અચકાશુ નહીં તથા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું.
આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ મુળી પ્રખંડ દ્વારા મુળી તાલુકા મામલતદાર શ્રી ની કચેરી એ હિન્દુ સંસ્કૃતિ તથા દેવી દેવતાઓધ વિશે અપમાન જનક (શરમજનક ) ટિપ્પણીઓને લઈને “રાવણ લીલા” નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે તેને અટકાવવા બાબતે મુળી તાલુકાના અધ્યક્ષશ્રી દિપકસિંહ ઝાલાની આગેવાની માં, મુળી પ્રખંડના બજરંગ દળ સયોજક ભુરાભાઈ મલ, મુળી પ્રખંડ સહમંત્રી જયદેવભાઈ ગૌસ્વામી અને મયુર સિંહ સહિત કાર્યકરો અને અગ્રણીઓ એ આવેદન પત્ર આપ્યું હતું અને આ ફિલ્મ રિલીઝ ન થાય તે માટે રજૂઆત કરવા માં આવેલ હતી.