Aapnu Gujarat
ગુજરાત

કોતરવાડા ગામ નજીકની કેનાલમાં ગાબડુ

દિયોદર તાલુકાના કોતરવાડા પાસેથી પસાર થતી કોતરવાડા નર્મદા મેઈન બ્રાન્ચ કેનાલમાં પાણી લીકેજ થયું હોવાની વાત સામે આવી હતી. આથી આસપાસના ગ્રામવાસીઓમાં ફફડાટ અને ગભરાહટ ઉભો થયો હતો.
જોકે દિયોદર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અભેસિંહ ચૌહાણે તેમજ સ્થાનિક આગેવાનોએ નર્મદાના ઇજનેરોને જાણ કરતા રાતોરાત રિપેર કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે કેનાલમાં પાણી ઓવરફ્લો થવાની બીક વચ્ચે ખેડુતો મુંઝવણમાં મુકાયા હતા.
જોકે કેનાલ સમયસર રિપેર ન કરવામાં આવી હોત તો મોટી જાનહાનિ પણ થઈ શકે તેવું જાણવા મળ્યું.
જોકે આ બાબતે દિયોદર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અભેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આવી ભયજનક સપાટી કેનાલોમાં જે કોઈ તિરાડો પડી હોય તેનું સમારકામ કરી મોટી જાનહાનિ અટકાવી શકાય છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

भारतीय सेना के विभिन्न पदों के लिए भर्ती मेले का आयोजन

aapnugujarat

સોમનાથ ટ્રસ્ટ દ્રારા લોકડાઉન દરમ્યાન પ્રસાદી, રાશનકીટ, ફુડ પેકેટ, માસ્ક વિગેરેનું વિતરણ કરાયું

editor

અર્જુન મોઢવાડિયા બની શકે છે કોંગ્રેસના નવા અધ્યક્ષ

editor

Leave a Comment

UA-96247877-1