Aapnu Gujarat
ગુજરાત

થરાદ દિયોદર મેટ્રો બસ દિયોદર જુના બસ સ્ટેન્ડ ન આવતાં મુસાફરો પરેશાન

પાલનપુર વિભાગીય થરાદ એસટી ડેપો દ્વારા થરાદ થી દિયોદર એક વર્ષ અગાઉ મિની મેટ્રો બસ શરૂ કરવામાં આવી હતી ત્યારે મુસાફરોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું, એ સમયે દિવસમાં ચાર વખત થરાદ દિયોદર અવરજવર કરતી આ મેટ્રો બસ છેલ્લાં ૧૫ દિવસથી દિયોદર જુના બસ સ્ટેન્ડ બજારમાં ન આવતા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રૂટ પર મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતાં હોય છે.બનાસકાંઠા જિલ્લા વિભાગીય એસ.ટી અધિકારી દ્વારા સત્વરે આ બસ દિયોદર બજારમાંથી પુનઃ શરૂ કરવામાં આવે તેમ મુસાફરો ઈચ્છી રહ્યા છે. મુસાફરોને નાછૂટકે એનકેન પ્રકારે દિયોદર એસટી ડેપો જવું પડતું હોય છે.
(અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

વડિલોની સેવા કરવી તે દરેકની અગ્રીમ ફરજ છે- સરકાર પણ શ્રવણ બનવા સદાય તૈયાર છે : મુખ્યમંત્રી રૂપાણી

aapnugujarat

શહેરમાં ઝાડા-ઉલ્ટીના ૧૮૮૦ અને કોલેરાના ૧૦ કેસ સપાટીએ

aapnugujarat

રાજ્યના શિક્ષણમંત્રી તરીકે જીતુભાઇ વાઘાણીની વરણીને ભાવનગર શહેર દ્વારા આવકાર

editor

Leave a Comment

UA-96247877-1