કરીના કપૂર ખાને કહ્યું હતું કે મને એવી સલાહ આપવામાં આવી હતી કે જો તું લગ્ન કરીશ તો તારી કારકિર્દી અકાળે ખતમ થઇ જશે. તને ફિલ્મો મળતી બંધ થઇ જશે. ’હા, આ વાત સાચી છે. મને એવી સલાહ આપવામાં આવી હતી કે લગ્ન કરીશ તો તારી કારકીર્દિનો ધી એન્ડ આવી જશે. સદ્ભાગ્યે મારી કારકિર્દી સરસ રીતે ચાલી રહી છે અને મને પૂરતું કામ મળી રહ્યું છે. એટલે આવી ભવિષ્યવાણી કરનારા બધા ખોટા પડયા છે’ એમ કરીનાએ કહ્યું હતું. એણે કહ્યું કે હું સતત મારા દિલની વાત સાંભળું છું. બીજાઓ મને કંઇ કહે તો સાંભળી લઉં ખરી પરંતુ એને સાચું માનીને એ પ્રમાણે કરતી નથી. મારું દિલ શું કહે છે એ જાણ્યા પછી હું એ રીતે કામ કરતી રહી છું. સદ્ભાગ્યે મારા અંતરાત્માનો અવાજ સતત મને સાચી સલાહ આપતો રહ્યો છે અને મારો કોઇ નિર્ણય ભાગ્યેજ ખોટો પડયો છે. ખરું કહું તો લગ્ન પછી હું પહેલાં કરતાં વધુ બીઝી રહેવા માંડી છું.
પાછલી પોસ્ટ