Aapnu Gujarat
મનોરંજન

આમ્રપાલી ફિલ્મની રિમેક પર કામ શરૂ

વર્ષ ૧૯૬૬માં બનેલી સુનિલ દત્ત અને વૈજયંતિ માલા અભિનિત ફિલ્મ અમ્રપાલીની રિમેક બનાવવાની તૈયારી હવે શરૂ કરવામાં આવી ચુકી છે. આ ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. દક્ષિણ ભારતની અભિનેત્રી જિનાલ પંડ્યા આ ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકા અદા કરનાર છે. હવે એવુ જાણવા મળ્યુ છે કે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મમાં સંજયદત્તને લેવાનો નિર્ણય કર્યો છે. જે મોટી ભૂમિકા અદા કરનાર છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે ગયા વર્ષે જ જિનાલ સાથે સંબંધિત કેટલીક બાબતોને પૂર્ણ કરી લેવામાં આવી છે. સંજય દત્ત પહેલથી જ આ પ્રોજેક્ટને લઇને લીલીઝંડી આપી ચુક્યો છે. ફિલ્મના શુટિંગને લઇને ટેકનિકલ કામ પૂર્ણ કરી લીધા બાદ આગળ વધારી દેવામાં આવનાર છે. સંજયદત્તે ફિલ્મને લઇને તારીખ પણ આપી દીધી છે. શરૂઆતના હિસ્સાનુ નિર્દેશન અતુલ ગર્ગ કરનાર છે. સરોજ ખાન અને ગાયિકા મધુશ્રીની મદદ લેવામાં આવી રહી છે. મધુશ્રીએ માહિતી આપતા કહ્યુ છે કે આ ફિલ્મ સંગીત પ્રધાન છે. તેમાં લતાના ગીતો આજે પણ તમામને રોમાંચક કરી નાંખે છે. ફિલ્મનુ શુટિંગ વારાણસી, જયપુર, ગયા, સહિતની જગ્યાએ કરવામાં આવનાર છે.
ફિલ્મના સેટને તૈયાર કરવ માટે ખાસ લોકોને આમંત્રિત કરવામા આવી રહ્યા છે. સ્ટાર સંજય દત્ત અન્ય કેટલીક ફિલ્મો પણ હાલમાં કરી રહ્યો છે સંજય દત્ત જેલની સજા ગાળીને બહાર આવ્યા બાદ કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. જો કે તે હવે સફળતા મેળવશે કે કેમ તેને લઇને સસ્પેન્સ છે. તેની લોકપ્રિયતા ચાહકોમાં અકબંધ રહી છે. મુળભુત આમ્રપાલી ફિલ્મમાં તેના પિતા સુનિલ દત્તની ખાસ ભૂમિકા હતી. હવે તે પિતાના રોલમાં કામ કરવા માટે આશાવાદી બનેલો છે.

Related posts

પદ્માવતી આગામી વર્ષે રીલિઝ થશે

aapnugujarat

સસ્પેન્સ ખત્મ : અમિતાબ બચ્ચન જ કૌન બનેગા કરોડપતિની આગામી સિઝન હોસ્ટ કરશે

aapnugujarat

પદ્માવત ફિલ્મ પર હરિયાણામાં પણ પ્રતિબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1