Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી દુબઈમાં હોવાનું તારણ

પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડનો આરોપી અને હીરાનો વેપારી નિરવ મોદી દુબઈમાં છૂપાયો હોવાનું સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે.તપાસ એજન્સીઓએ નિરવ મોદી સામેની તપાસનો તાબડતોબ આરંભ કર્યો છે. સીબીઆઈએ સોમવારની સવારે મુંબઈની પીએનબીની બ્રેડ હાઉસ બ્રાન્ચને સીલ માર્યું હતું અને બેંક બ્રાન્ચ બહાર નોટિસ મુકી છે. નોટિસમાં લખ્યું છે કે આ બ્રાન્ચને વુરવ મોદી એલઓયુ મુદ્દે સીલ કરી દેવાઈ છે.હવે પીએનબીની આ બ્રાન્ચમાં કોઈ જ કામ નહીં થાય. બ્રાન્ચમાં પીએનબીના કર્મચારીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુકી દેવાયો છે. બીજીબાજુ નિરવ મોદી ગ્રુપના સીએફઓ પૂછપરછ માટે સીબીઆઈ ઓફિસે પહોંચી ગયા છે.નિરવ મોદી દેશ બહાર છે અને વિશ્વભરમાં તેની શોધખોળ શરૂ કરી દેવાઈ છે. તેઓ હાલમાં દુબઈમાં હોવાનું એજન્સીઓને જાણવા મળ્યું છે. થોડા દિવસ અગાઉ જ નીરવ મોદીએ બે નવો સ્ટોર્સ ખોલ્યા હતાં. નિરવ મોદી હાલમાં દુબઈમાં હોઈ શકે તેવું તપાસ એજન્સીઓનું તારણ છે, જોકે દુબઈમાં તેના ચોક્કસ લોકેશન વિશે કાંઈ જ કહેવામાં આવ્યું નથી.

Related posts

ડેબિટ કાર્ડથી પેમેન્ટમાં વધારો થયો

aapnugujarat

सुप्रीम कोर्ट में गणतंत्र दिवस पर होने वाले किसान मार्च को लेकर सुनवाई टली

editor

मनरेगा के साथ NYAY योजना भी लागू हो, क्या सूट-बूट-लूट की सरकार गरीबों का दर्द समझेगी? – राहुल गांधी

editor

Leave a Comment

UA-96247877-1