Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એસબીઆઇમાં નોકરી માટે પણ આધાર ફરજિયાત

ભારતીય સ્ટેટ બેંકમાં તમારું ખાતુ છે, તો તેને આધારથી લિંક કરવું અનિવાર્ય છે. આ કામ માટે તમારે તમારા એસબીઆઇ નેટબેંકિંગનો સહારો લઇ શકો છો કે પછી બ્રાન્ચમાં જઇને આ કામ કરી શકો છો. જોકે અન્ય બેંકોની જેમ એસબીઆઇએ આધાર કાર્ડના ઉપયોગથી બેંક ખાતા સુધીજ સીમિત રાખ્યા નથી. તેમને આ એસબીઆઇમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવનાર લોકો માટે પણ આ અનિવાર્ય કરી દીધુ છે.ભારતીય સ્ટેટ બેંકના સર્કુલર મુજબ જે પણ વ્યક્તિ એસબીઆઇની સાથે નોકરી કરવા માટે એપ્લાય કરે છે. તેને આધાર કાર્ડની માહિતી આપવી જરૂરી છે. જેના પાસે આધાર કાર્ડ નથી, તે લોકો એનરોલમેન્ટ સ્લિપ નંબર આપી શકે છે. જોકે તેના વગર એસબીઆઇમાં એપ્લાય કરવું તમારા માટે મુશ્કેલ થઇ જશે.સર્કુલર મુજબ આ નવો નિયમ ૧ જુલાઇ,૨૦૧૭થી લાગુ થઇ ગયું છે. એસબીઆઇએ કહ્યુ છે કે આધાર કાર્ડની માહિતીના આધારે ઉમેદવારની જાણકારી બાયોમેટ્રીક ઇન્ફોર્મેશનથી ચકાસવામાં આવશે. જેમા અનેક પ્રકારની ખામી નીકળવા પર તમારી અરજી રદ્દ થઇ શકે છે. તેમજ આ જોગવાઇ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પર લાગૂ થશે. જોકે જમ્મુ કાશ્મીર,મેઘાલય અને અસમના લોકો વોટર આઇડી, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા બીજા દસ્તાવેજ તેની જગ્યાએ ઉપયોગ કરી શકશો.

Related posts

सेना मुख्‍यालय को पुनर्गठित किया जाएगा रक्षा मंत्री ने दी मंजूरी

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૧.૫ લાખ કરોડ ઠલવાયા

aapnugujarat

ભારત અને ઇઝરાયેલ વચ્ચે ૭ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1