Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ દીવડાઓથી ઝગમગી ઉઠશે

દીપ જ્યોતિ નમોસ્તુતે : એવા દીપ જ્યોતિના પર્વ દિપોત્સવી અને નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર દિવાળી-નૂતનવર્ષનાં દિવસે હજારો દીવડાઓની હારમાળા સાથે દીપમાળાની રોશનીથી ઝળહળી ઉઠશે. દિવાળી એટલે પ્રકાશનું પર્વ અને ઋગ્વેદ અનુસાર ‘સૂર્યાંશ સંભવો દીપ’ એટલે કે દીપ સૂર્યનો જ અંશ છે. દીપ-દીવડાઓ પરમેશ્વરની શક્તિનાં પ્રતીક અને ઈશ્વરની આરાધના-ઉપાસનાનાં સહયોગી માનવામાં આવ્યાં છે. આ દિવસોમાં સોમનાથમાં નયનરમ્ય રંગોળી અને પ્રાચીન દીવડાઓની રોશનીમાં ન્હાતા સોમનાથ મંદિરને નિહાળવું એ દિવાળીની રજાઓમાં સોમનાથ આવેલાં યાત્રીકો-પ્રવાસીઓ માટે અનેરો લ્હાવો અને દિવ્ય નજારાની અનુભૂતિ મેળવે છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

ડભોઇ બોડેલી રોડ ઉપર છેલ્લા ઘણા સમય થી રોડની બંને સાઈડ રેતીના થર,વાહન ચાલકોને ભારે હાલાકી

editor

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં થોડા સમય થી જંગલના રાજા સાવજની ડણક

editor

RBI ने निजी बैंकों के मुखिया की 70 साल रिटायरमेंट सीमा की तय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1