Aapnu Gujarat
ગુજરાત

મોઢેરા સૂર્ય મંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ ખુલ્લો મૂકાયો

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનો ઇ-માધ્યમથી આરંભ કરી જણાવ્યું હતું કે, જેની સંસ્કૃતિમાં જ સૂર્ય વણાયેલો છે તેવી ગુર્જર સંસ્કૃતિ અને અસ્મિતા આજે અનેક ક્ષેત્રોનાં સર્વાંગી વિકાસના રથ ઉપર સવાર થઈને સમગ્ર વિશ્વમાં વખણાય રહી છે. આપણે સદનસીબ છીએ કે, ગુજરાતમાં મહત્તમ સૂર્યપ્રકાશ મળી રહ્યો છે, તેવું જણાવી રાજ્યના મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, એ સૂર્યપ્રકાશનો સોર ઉર્જા સોલર એનર્જીમાં રૂપાંતરિત કરી ને ગુજરાતે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત વિકસાવ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે આધુનિક અને વિકસતા યુગમાં સૂર્ય ઉપાસના માટે સૂર્ય શક્તિના મહત્તમ વિનિયોગ માટે સોલર ઉર્જા સોલર એનર્જીનું હબ ગુજરાત બન્યું છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કચ્છના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્કનાં શિલાન્યાસ કર્યો છે. ઉત્સવના માધ્યમથી લોકો આપણાં ઐતિહાસિક વારસાથી વધુ નિકટ આવશે, તેઓ દૃઢ વિશ્વાસ વ્યક્ત કરી તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હીમાં આ વખતની પ્રજાસત્તાક પર્વની ૨૬મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ- સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયમાં મોઢેરાના સૂર્ય મંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવશે.“ અંબાજી થી આસન સોલ અને દ્વારકાથી દિબ્રુગઢ સુધીના ભારતના બધા જ પ્રદેશો રાજ્યો એકબીજા સાથે સાંસ્કૃતિક તાદાત્મ્યથી જોડાયેલા છે, એવું કહી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે પશ્ચિમ ભારતના મોઢેરા સૂર્ય મંદિરના ઉત્તરાર્ધ ઉત્સવ જેમ જ પૂર્વમાં કોર્ણાક સૂર્ય મંદિરમાં ડાન્સ ફેસ્ટિવલ યોજાઈ છે. શક્તિ સ્વરૂપા આધ્યા શક્તિનો ઉત્સવ નવરાત્રી ગુજરાતની વૈશ્વિક પહેચાન છે, તો બંગાળનો દુર્ગા પૂજા શક્તિ-આરાધનાનો સમન્વયકારી ઉત્સવ છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વસુદેવ કુટુંમ્બકમ એટલે કે સમગ્ર વિશ્વને પરિવાર માનતી આપણી આ સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ તો એક વિચારધારા છે. ભવ્ય પરંપરા છે જેમાં સૌને સહ અસ્તિત્વ સ્વીકારાયું છે સહવીર્ય કરવા વહે નો શાશ્વત ભાવ છે. આ સાંસ્કૃતિક એકતાના માધ્યમથી જ ભારત આજે સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે જગતગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. અનેકતામાં એકતા જ એ જ આપણી વિશેષતાને આ ઉત્સવ સાકાર કરી સૂર્ય શક્તિની જન જનમાં વિશ્વ બંધુત્વ સદભાવ સમભાવનો સાક્ષાત્કાર કરાવશે તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન મોદીએ ટિવિટ કરેલા વરસાદ દરમિયાન મોઢેરાના સૂર્ય મંદિરના નયન પ્રિય નજારાને ૩.૩ મિલિયન લોકોએ નિહાળ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે દરેક રાજવી વંશ તરફથી એકથી એક ચઢીયાતા અજોડ અને બેજોડ સ્થાપત્ય શિલ્પકલાના ઉત્કૃષ્ટ સાજણા મળ્યા છે. મન્સૂર તળાવ, બિંદુ સરોવર, સહસ્ત્રલિંગ તળાવ, રુદ્રમહાલય જેવા અનેક ઐતિહાસિક સ્થાપત્યો અને સ્થળોએ ગુજરાતના ઇતિહાસમાં આગવું સ્થાન મેળવ્યું છે. સલતનત યુગમાં આપણને સરખેજ રોજા, જામા મસ્જિદ, ચાંપાનેરના અમૂલ્ય સ્થાપત્યો મળ્યાં છે સાથે કચ્છનું રણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાપુતારા અને માંડવી હેમંતપુર ચોરવાડનો સમુદ્ર કિનારો સાસણના સિંહો, સોમનાથનું પ્રાચીન મંદિર વિવિધ શાખાઓનો લખલૂટ ખજાનો ગુજરાતમાં છે. આ પ્રસંગે રમત ગમત અને યુવા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલે મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે મોઢેરા ખાતે યોજાઇ રહેલ ઉત્તરાર્ધ ઉત્સવમાં મણિપુરી નૃત્ય, ભારતના સૌથી પ્રાચીન નૃત્યુ શૈલી માનવામાં આવતી ઓડિસી નૃત્ય, કેરલ રાજ્યનું સુપ્રસિધ્ધ શાસ્ત્રીય નૃત્ય કથકલી અને દક્ષિણ ભારતના તામિલનાડુનું ભારતનાટ્યમ નામાંકિત કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ધારાસભ્ય કરસન સોલંકી, પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલ, મહેસાણા કલેકટર એચ.કે પટેલ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

આંતર રાજ્ય વાહન ચોરી કરતી ટોળકીને વડોદરા એલસીબી પોલીસે ઝડપી

editor

शहर के एसजी हाईवे पर कारचालक ने कॉन्स्टेबल और होमगार्ड को टक्कर मारी

aapnugujarat

વૈષ્ણોદેવી સર્કલ પાસે બસની ટક્કરથી યુવક-યુવતીના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1