લગભગ વિશ્વમાં સૌ પ્રથમવાર માંડલની ધરતી ઉપર ૨૧ કર્મકાંડી ભૂદેવો દ્વારા સળંગ ૩૬ દિવસ સુધી દરરોજના ૨૫૧ પાઠનું પઠન થશે, કુલ ૧,૮૯,૭૫૬ શ્રી સુક્તમ પાઠ થશે. શ્રી સુક્તમ પાઠ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ અનુષ્ઠાન કરવાથી દરિદ્રતા દૂર થાય, કષ્ટ,પીડા દૂર થાય અને ધનની અઢળક પ્રાપ્તિ થાય છે. ખંભલાય માતાજી ટ્રસ્ટ દ્વારા આ દુર્લભ ભગીરથ કાર્યનો આજે તા.૪ ડિસેમ્બરના રોજ પ્રારંભ થયો છે. આ અનુષ્ઠાન ૮ જાન્યુઆરી સુધી ચાલવાનું છે. આ અનુષ્ઠાન અને ભારતભરમાંથી આવેલ ભુદેવોના મંત્રોચ્ચારની અનંત ઉર્જા બ્રહ્માંડમાં વસતા ૭ હજાર ખંભલાય મા પરિવાર ઉપર પડશે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- રાજુ પંચાલ, માંડલ)