વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતીના દિવસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારે ખેડૂતોને નુકસાન થાય તેવો કાળો કાયદો બનાવ્યો છે અને ઉત્તરપ્રદેશની યોગી સરકારે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીને હાથરસના પિડિત પરિવારની મુલાકાત લેવા જતાં અટકાવી તેમને અપમાનિત કરીને તેમની અટકાયત કરી ગુનો નોંધી તેમની સાથે જે વ્યવહાર કર્યો છે તથા ગુજરાત સરકારે વાલીઓની સાથે જે ફી ઘટાડા બાબતે ગદ્દારી કરી છે તેના વિરુધ્ધમાં ધરણા પર બેસી વિરોધ કરવામાં આવ્યો હતો અને રેલી કાઢી મોદી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)