કાંકરેજ તાલુકાની રાણકપુર મેઈન કેનાલમાં યુવાને મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તુરંત જ પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ છે. યુવાન થરાના તેરવાડીયા ગામનો ભરતજી ભવાનજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. યુવકે કેમ આવું પગલું ભર્યું તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે.મૃતકની લાશને પીએમ માટે થરા રેફરલ ખસેડવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, બનાસકાંઠા)
આગળની પોસ્ટ