કાંકરેજ તાલુકાના ભાજપ પ્રમુખ અને તાલુકા મહામંત્રીનો કાર્યકાળ પૂરો થતાં નવા પ્રમુખ અને મહામંત્રીની નિમણુંક કરવા માટે આજ રોજ કાંકરેજ તાલુકાના દુગાવાડા ખાતે મિટિંગ યોજાઈ હતી. સંગઠન ઇન્ચાર્જ બનાસકાંઠા અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, જિલ્લા પ્રભારી દુષ્યાંભાઈ પંડયા, જિલ્લાભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, મહામંત્રી અમૃત દવે, કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલા, મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા,અણદાભાઈ પટેલ, સુખદેવસિંહ સોઢા,મફાજી સોલંકી, કાંકરેજ તાલુકા પ્રમુખ તેજાભાઈ દેસાઈ, વસંત પુરોહિત, પૃથ્વીરાજ વાઘેલા વગેરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં મિટિંગ યોજાઈ હતી.મિટિંગની શરૂઆત વંદેમાતરમથી કરાઈ હતી. ભાજપમાંથી પ્રમુખ તેમજ મહામંત્રીના નામ મોકલાયા હતા જેમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલ(રતનગઢ), મહામંત્રી તરીકે ઈશુભા બનેસિંહ વાઘેલા(આંગણવાડા), અમરતભાઈ પીરાભાઈ દેસાઈ (વડા) વાળાનાં નામની જાહેરાત કરાઈ હતી જેને હાજર તમામ કાર્યકરોએ તાળીઓથી વધાવી લીધા હતાં.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)