સમગ્ર ગુજરાતમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાઇ રહ્યું છે ત્યારે સાબરકાંઠાના પોષિના તાલુકાના દેલવાડા (છો) સી.આર.સી ખાતે ૧૩ શાળાઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં જુદા જુદા પાંચ વિભાગોમાં ૧૫ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પાંચેય વિભાગોમાં પ્રથમ આવેલ કૃતિ તથા ભાગ લીધેલ તમામ બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે બીટ કે. નિ જશુભાઈ પટેલ (પોષિના), જૂથ મંત્રી સોમજીભાઈ શિક્ષકગણ, બાળ વૈજ્ઞાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર વિજ્ઞાન મેળાનું આયોજન અને સંચાલન સી.આર. સી. દિનેશકુમાર પી. નાયી (દીપ) દ્વારા કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)