સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા પ્રથમવાર વીરમાયા જન્મ જંયતીની ઉજવણી તા. ૦૭-૦૯-૨૦૧૯ના રોજ મહેસાણા ખાતે કરવામાં આવી હતી. વીરમાયા વિષયના ઈતિહાસકાર અને સમગ્ર પરગણા વણકર સમાજ પ્રમુખ આયોજક ભીખાભાઈ એ. મકવાણા અને વીણાબેન એમ. દિપકર, નરેન્દ્ર વાણીયા,નટુભાઈ પરમાર, વિનોદ પી. નંદા, ખુશાલભાઈ એમ. મકવાણા, ડૉ. પી.એ. પરમાર, એમ.જે. સુતરીયા, જિજ્ઞેશ બી. કાપડીયા, કિશોર પી. સોલંકી અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં સમાજના લોકોને વીરમાયા પેંડન્ટ, વીરમાયા છબી અને ડૉ. નરસિંહદાસ વણકર લિખિત વીરમાયા વિષયક કંઠસ્થ પરંપરાનું સાહિત્ય પુસ્તક આપવામાં આવ્યું હતું.
આગળની પોસ્ટ