સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં આવતા ” રાવળદેવ સમાજ “નું વિશાળ સંમેલન સુરેન્દ્રનગર ખાતે યોજાયું હતું. ” રાવળદેવ સમાજ “ના સંમેલનમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, ચન્દ્રશેખરભાઇ દવે સહીતના ભાજપના નેતાઓ અને સંત શ્રી ધર્મદાસજી બાપુ, શ્રી અમૃતદાસજી બાપુ, સહીતના જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત વિરમગામ પંથકના ” રાવળદેવ સમાજ “ના ભાઇ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ.મહેન્દ્ર મુંજપુરાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે હાકલ કરી હતી. ” રાવળદેવ સમાજ “ના આયોજિત સંમેલનમાં ભારતીય જનતા પાર્ટી ને લોકસભાની ચુંટણીમાં વિજયી બનાવવા માટે સંકલ્પ લેવડાવવામા આવ્યો હતો.
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા