વિરમગામ શહેરના ભાવસારવાડામા આવેલા શ્રી હિંગળાજ માતાજીના મંદિરે 20માં પાટોત્સવની ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રી હિંગળાજ માતાજીનો ભક્તો દ્વારા વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી હિંગળાજ માતાજીના મંદિરે 20માં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. સવારે શાસ્ત્રોક્ત વિધિથી નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે શ્રીફળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા