Aapnu Gujarat
બ્લોગ

રિવર લિંકિંગ યોજના અને વોટર મેનેજમેન્ટ

મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર જલદી જ નદીઓને જોડવાની યોજના પર કામ કરશે. જેના પર આશરે ૨૦ હજાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. આ રકમમાંથી ૧૮ હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે જ્યારે એક એક હજાર કરોડ રૂપિયા મહારાષ્ટ્ર અને ગુજરાતની સરકાર આપશે.બંને રાજ્યો વચ્ચે કરાર થવાથી મહારાષ્ટ્રના વિદર્ભને આશરે ૫૦ ટીએમસી જેટલું પાણી મળી શકશે. બંને રાજ્યોના આ પ્રોજેક્ટ અંતર્ગત પાર-તાપી-નર્મદા અને દમણગંગા તેમ જ પિંજલ નદીઓને જોડવામાં આવશે. દમણગંગા અને પિંજલથી મુંબઈ મહાનગરને અતિરિક્ત પાણી મળી શકશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક બેઠક કરી હતી. આ મિટીંગ બાદ નીતિન ગડકરીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મહારાષ્ટ્ર સિંચાઈ ક્ષેત્ર ૨૨ ટકા છે જેને ૪૦ ટકા સુધી પહોંચાડવાનુ લક્ષ્ય છે. આ યોજના સફળ થાય તો રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાને રોકવામાં સફળતા મળશે અને સિંચાઈ માટે ભરપૂર પાણી મળશે. આ અંગે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત કામ ચાલી રહ્યું છે જેમાં આશરે ૫ સિંચાઈ યોજનાઓનું કામ પૂર્ણ થઈ ગયું છે. ફડણવીસે જણાવ્યું કે આત્મહત્યાગ્રસ્ત જિલ્લાઓમાં વિભિન્ન સિંચાઈ પરિયોજના માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ૧૦ હજાર કરોડ રૂપિયા અલગથી માગ્યા છે.દેશના કેટલાક રાજ્યોમાં ભારે દુષ્કાળ અને પૂર પ્રકોપથી બચવા માટે કેન્દ્રની મોદી સરકારે ૫.૫ લાખ કરોડ રૂપિયાના ખર્ચે નદીઓને એકબીજા સાથે જોડવાનું કામ કરશે.આ પ્રોજેકટનો ઉદ્દેશ દેશના પૂર અને દુષ્કાળથી છુટકારો અપાવવાનો છે. ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયી સરકારે દેશની નદીઓને જોડવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તેની અસરને જાણવા માટે એક કાર્યદળની રચના કરવામાં આવી હતી.યોજનાના પહેલા તબક્કાને મોદી મંજૂરી આપી ચૂકયા છે. પ્લાન હેઠળ ગંગા સહિત દેશની ૬૦ નદીઓને જોડવામાં આવશે. સરકારને આશા છે કે એવું થયા પછી ચોમાસા પર ખેડૂતોની નિર્ભરતા ઓછી થઇ જશે અને લાખો હેકટર જમીન પર સિંચાઇ થઇ શકશે. છેલ્લાં બે વર્ષોથી ચોમાસું સારું નથી રહ્યું. ભારતના કેટલાંક હિસ્સાઓ સહિત બાંગ્લાદેશ અને નેપાળ પૂરથી ઘણા અસરગ્રસ્ત રહ્યા છે. સૂત્રોનું માનીએ તો નદીઓને જોડવાથી હજારો મેગાવોટ વીજળી પેદા થશે.કેન નદી પર એક ડેમ બનાવવામાં આવશે. ૨૨ કિલોમીટર લાંબી નહેર મારફતે કેનને બેતવા સાથે જોડવામાં આવશે. કેન-બેતવા મધ્યપ્રદેશ અને ઉત્ત્‌।રપ્રદેશના એક મોટા હિસ્સાને આવરી લે છે. બીજેપી નેતા સંજીવ બાલિયાનના જણાવ્યા પ્રમાણે, ’અમને રેકોર્ડ ટાઇમમાં કિલયરન્સ મળી ગયું છે. છેલ્લા તબક્કાનું કિલયરન્સ પણ આ જ વર્ષના અંત સુધીમાં મળી જશે. કેન-બેતવા લિંક સરકારની પ્રાયોરિટીમાં છે.’સરકાર પાર-તાપીને નર્મદા અને દમણગંગા સાથે જોડવાની પણ તૈયારી કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે વધુ પાણીવાળી નદીઓ જેમકે ગંગા, ગોદાવરી અને મહાનદીને બીજી નદીઓ સાથે જોડવામાં આવશે. તે માટે આ નદીઓ પર ડેમ બનાવવામાં આવશે અને નહેરો દ્વારા બીજી નદીઓને જોડવામાં આવશે. પૂર-દુષ્કાળ પર કાબૂ મેળવવા માટે આ જ એકમાત્ર રસ્તો છે.સરકારને આ મુદ્દે સલાહ આપનારા અર્થશાસ્ત્રી અશોક ગુલાટી જણાવે છે કે વ્યાવહારિક રીતે નદીઓને જોડવાની યોજનામાં કોઇ ખામી જોવા નથી મળી રહી. તેમાં અબજો ડોલરનો ખર્ચો થશે. પાણીનો પણ ઘણો બગાડ થશે. સૌથી પહેલા આપણે વોટર કન્ઝર્વેશન (પાણીના સંગ્રહ) પર ભાર આપવો પડશે. આજથી દોઢસો વર્ષ અગાઉ અંગ્રેજોએ ભારતની બધી નદીઓને જોડવાની યોજના ઘડી હતી. આજથી એકસો ચૌદ વર્ષ પહેલા ઇ.સ. ૧૯૦૦(વિક્રમ સંવંત ૧૯૫૬)માં છપ્પનીયો દુકાળ પડયો હતો. એ સમયે ગુજરાત અને મધ્યપ્રદેશના દુકાળગ્રસ્ત લોકો વડોદરા સ્ટેશને જમા થયા હતા. ભૂખી જનતાઓની કાખમાંથી કૂતરાઓ બાળકોને ઉપાડી જતા હતાં. નદીઓને જોડવાની યોજના દ્વારા આવો ભૂખમરો દૂર કરવાનો હેતુ હતો. આવી યોજનાને સાકાર કરવાની પ્રક્રિયામાં પર્યાવરણવાદીઓ કાંકરા ફેંકી રહ્યા છે. આથી આ યોજના સાકાર થશે કે કેમ એ અંગે શંકા છે.તાજેતરમાં નર્મદાનું પાણી સાબરમતીમાં લાવવામાં આવ્યું. મધ્યપ્રદેશમાં નર્મદાને ૪૭ કિલોમીટરની પાઇપલાઇન દ્વારા શિપ્રા નદીમાં ઠાલવવામાં આવી. નદીના કાંઠે અને પાઇપલાઇનના આસપાસના વિસ્તારમાં જમીનના ભાવ બમણા થઇ ગયા. કૃત્રિમ સંગમ સ્થાને ઘાટ પણ બનાવવામાં આવ્યો. ૪૩૨ કરોડની આ યોજનાથી ઉજૈન્ન અને દેવાલ પ્રદેશના ૨૫૦ ગામોને પીવાનું પાણી પણ પ્રાપ્ત થશે. ઇ.સ. ૨૦૧૬માં જયારે કુંભમેળો આયોજિત થશે ત્યારે પાણી અછત નહી નડે. કેટલાક વાંકદેખાઓને આ પ્રોજેકટ સફેદ હાથી સમાન લાગે છે. આમ છતાં ખર્ચનો હિસાબ માંડીએ તો, નર્મદાના પાણીને શિપ્રામાં લઇ જવા માટે ૭૦ કરોડ રૂપિયાના ખર્ચ આવશે. રાજયોમાં મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સરકારોએ સાથે મળીને લગભગ દસ હજાર કરોડ રૂપિયાની કેન-બેતવા યોજના તૈયાર કરી હતી. બિહારે પોતાની બુઢી, ગંડક, નૂન, વ્યાસા અને ગંગાને સાંકળવાની યોજના તૈયાર કરી હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતે નર્મદા, તાપી, દમણગંગા જેવી નદીઓને જોડવાની યોજના તૈયાર કરી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, અટલ બિહારી વાજપાઇના સ્વપ્નની સાથે આ એક અમગ્ર ભારતનું પણ સ્વપ્ન છે.હાલમાં દેશ અથવા કેન્દ્ર સમગ્ર નદીઓને જોડવાનો પ્રકલ્પ વિચારે છે, તેમાં ૩૭ નદીઓને ૩૦ લિન્ક કેનાલો દ્વારા કે પાઇપલાઇનથી જોડવાની વાત છે. આમાંથી ૧૬ નદીઓ હિમાલયમાંથી વહે છે. ૧૬ નદીઓ મધ્ય અને દક્ષિણ ભારતમાંથી વહે છે. અત્યારે કોઇપણ રાજય બીજા રાજયને પાણી આપવા તૈયાર નથી. ગોદાવરી અને કૃષ્ણાને જોડવા આંધ્ર સરકારે પોતાની યોજના ઘડી છે. વોટર ડેવલપમેન્ટ એજન્સીના રિપોર્ટ પ્રમાણે પ્રકલ્પ સાર્થક બને તો દેશમાં ૧૪ કરોડ હેકટરમાં સિંચાઇ શકય બની શકે અને આશરે સાડા ત્રણ કરોડ કિલોવોટ વિજળી ઉત્પન્ન થઇ શકે. પૂર નિયંત્રણ, જળ પરિવહન, પર્યાવરણ સુધારણા પણ શકય બને. જમીનમાં ખારાશ વધતા અટકે. પાણીની ગુણવત્તા સુધરે એ જરૂરી છે. વરસાદનું મોટાભાગનું પાણી નદી મારફતે દરિયામાં જતું રહે છે. આ પાણી દરિયામાં જતું અટકાવવા માટે નદીઓને જોડતી યોજનાનું મહત્વ અનેરૂં છે.કેટલાક પર્યાવરણવાદીઓ કહે છે આમ કરવાથી દરિયાની ઇકોલોજિકલ બેલેન્સ ખોરવાઇ જશે. જોકે એ શકય નથી. આપણા દરિયામાં અખૂટ જળરાશિ છે. જેના દ્વારા દરિયાની જૈવ વિવિધતા જીવંત રહી શકે છે. આપણે તો અહીં વરસાદના પાણીને વહી જતું અટકાવવાની વાત કરીએ છે જે એક પર્યાવરણનો જ મુદો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રણ લઇએ કે, આપણે પાણીનો બગાડ નહી કરીએ અને તેનું જતન તથા રક્ષણ કરીશું.મૈસુર સરકારના ચીફ એન્જિનિયર અને ભારતનું ગૌરવ ગણાતાં વિશ્વ સરવૈયાએ પણ નદીઓની જોડવાની વાત કરી હતી. એ પછી ઇ.સ. ૧૯૭૨માં કેન્દ્ર સરકારે નેશનલ વોટર ગ્રીડની રચના કરી હતી. ગંગા અને કાવેરીને જોડવાની વાત વિચારવામાં આવી હતી. આ યોજના દ્વારા આશરે ૭૦ લાખ કિલોવોટ વિજળી પેદા કરવાનું પણ આયોજન હતું. ઇ.સ. ૧૯૭૭માં દિનસા દસ્તૂર નામના પાઇલોટે એક કેનાલ યોજના બનાવી હતી પણ એ સમયે દેશ પાસે ૧૨૦ લાખ કરોડ રૂપિયા ન હતા. જોકે એ પછી સરકાર બદલી જતાં વાત કોરાણે પડી રહી. એ બાદ અટલ બિહારી વાજપાઇએ ખાસ રસ દાખવીને એક હાઇ ટાસ્ક ફોર્સની રચના કરી હતી અને પોણા છ લાખ કરોડ રૂપિયાનો અંદાજ મૂકયો હતો. જીવ માત્રની અનિવાર્ય જરૂરિયાત એટલે પાણી. પાણી સજીવો માટે અત્યંત આવશ્યક છે. દરેક સજીવના અસ્તિત્વ અને વિકાસ માટે પાણી જરૂરી છે. પરંતુ સીધું ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીનો જથ્થો મર્યાદિત છે. તેમાંય બિન આયોજિત ઝડપી ઔદ્યોગિક વિકાસ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ અને પાણીના પ્રદૂષણના કારણે સીમિત ઉપલબ્ધ જળના પુરવઠામાં સતત ઘટાડો થતો ગયો છે. જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં જળ માટે યુદ્ધો થાય તેવી સ્થિતિનું નિર્માણ થશે. આવા ભયંકર સંજોગોમાંથી બચવા, સજીવોનું અસ્તિત્વ અને ટકાઉ વિકાસની પરિકલ્પના સાકાર કરવા અત્યારથી જ જળ વ્યવસ્થાપન કરવું અનિવાર્ય બન્યું છે.આપણે સૌ જાણીએ છે કે, પૃથ્વીના કુલ ક્ષેત્રફળમાંથી અંદાજિત ત્રણ ભાગ પાણી અને ચોથો ભાગ જમીન છે. સાથે એ પણ વાસ્તવિકતા છે કે, તેમાં ૯૭ ટકા પાણીનો જથ્થો સમુદ્રમાં છે જે પાણી સ્વાદમાં ખારું હોવાથી તે વપરાશ માટે સીધું ઉપયોગમાં લઈ શકાતું નથી. આશરે ૨.૭ ટકા પાણી વિશાળ હિમક્ષેત્રોમાં બરફ રૂપે છવાયેલું છે, અને માત્ર ૦.૩ ટકા મીઠું પાણી સરોવરો નદીઓ, કૂવા દ્વારા આપણા માટે પ્રાપ્ય છે. આમ શુધ્ધ જળ અથવા મીઠું પાણી કેટલું મહત્વ ધરાવે છે તેનો અંદાજ મૂકી શકાય તેમ છે. પાણી દરેક સજીવ માટે અસ્તિત્વ ટકાવી રાખવા જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે.જો કે ભારત જળ સંપતિથી સમૃદ્ધ દેશ છે. ભારતમાં ઉપલબ્ધ જળ રાશીની વિગતો જોતા જણાય છે કે આપણી પાસે કુદરતી રીતે ઉપલબ્ધ જળ પૂરતા પ્રમાણમાં હોવા છતાં આપણે તેનું યોગ્ય આયોજન કરી શકતા નથી.
ભારતીય સંસ્કૃતિનો વિકાસ જ નદી કિનારે થયેલ છે. ભારતમાં પ્રાચીન યુગથી જ પાણીને જળદેવતા અને નદીને લોકમાતાની ઉપમા આપવામાં આવેલ છે. ભારત ત્રણ ઋતુ ધરાવતો દેશ છે. જેમાં ચોમાસામાં વરસાદ દ્વારા દર વર્ષે ૪૦૦ મિલીયન હેકટર જળ સાધનો પ્રાપ્ત થાય છે. જેમાંથી ૭૦ મિ. હે. પાણી તાત્કાલિક વહી જાય છે. ૧૧૫ મિ. હે. નદી, સરોવર, કૂવામાં એકત્રિત થાય છે. અને ૨૧૫ મિ.હે. જમીનમાં શોષાય છે. આ સ્થિતિ પાણીના સંગ્રહના આયોજનનો અભાવ બતાવે છે. ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે. જેમાં ૧૨ મુખ્ય નદીઓ છે. આ નદીઓમાં ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના સૌથી મોટી નદીઓ છે. મુખ્ય નદીઓ નો જળસંગ્રહ વિસ્તાર ૨૫ કરોડ ૨૮ લાખ હેકટર જેટલો છે. જે કુલ જળ સંગ્રહ વિસ્તારના ૪૩ ટકાથી પણ અધિક છે. બીજી મુખ્ય નદીઓમાં સિંધુ, ગોદાવરી, ક્રિષ્ના, અને મહાનદીનો સમાવેશ થાય છે. જે ૧૦૩૫ લાખ હેકટર જળ સંગ્રહ ધરાવે છે. જ્યારે મધ્યમ કદની નદીઓનો જળ સંગ્રહ વિસ્તાર ૨૫ લાખ હેકટર જેટલો છે. આમ ભારતના મુખ્ય જળ સ્ત્રોતમાં નદીઓ મુખ્ય છે. માટે જ ભારતમાં નદીઓ માટે લોકમાતાની ઉપમા આપવામાં આવી છે તે સાર્થક જ છે. ૨. વિવિધ કાર્યો માટે પાણીનો વધતો જતો ઉપયોગ
ભારત વિકાસશીલ રાષ્ટ્ર છે. ભારતીય અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું સ્થાન હજુય આર્થિક વિકાસના એન્જિન જેવું છે. ભારતમાં વધતી જતી વસ્તીને અન્ન પુરુ પાડવા, ઔદ્યોગિક વિકાસ જળવાય રહે તે માટે કાચો માલ પૂરો પાડવા તથા સેવા ક્ષેત્રના વિકાસ માટે ખેતીમાં ‘સઘન ખેતી’ વધતી જાય છે. અર્થાંત સિંચાઈ માટે પાણીની જરૂર વધતી ગઈ છે. ભારતમાં કુલ જળ સાધનો ના ૯૨ ટકા જળ સાધનો સિંચાઈ માટે વપરાય છે. તેમાંય ગ્લોબલ વોર્મિંગના કારણએ ઋતુ ચક્રમાં ફેરફારો થતા રહે છે, તેથી વરસાદની અનિશ્ચિતતા વધી છે, અને તેથી ભૂગર્ભ જળ પરનો આધાર વધતો ગયો છે. ૮ ટકા જળ ઔદ્યોગિક અને ઘર વપરાશ માટે વપરાય છે. ભારતમાં ઝડપી વસ્તીવૃદ્ધિ થતા ૨૦૩૦ માં દેશની ૨/૩ વસ્તીની શુદ્ધ પીવાનું પાણી નહીં મળે. વર્તમાન સમયમાં દિલ્હી, કોલકત્તા અને ચેન્નાઈ, મુંબઈ જેવા મેગા સિટીમાં પાણીની માંગ વધીને બમણી થવા જઈ રહી છે. શહેરીકરણનો વધારો થતા પાણીની વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જાળવી શકતા નથી તેમાં શહેરો ના ભોગ વિલાસ ભરી જિંદગી જીવવા ટેવાયેલા લોકોમાં પાણીનો બગાડની કુટેવો જોવા મળે છે. અલબત આવા કુટુંબો ગ્રામ્ય વિસ્તારો માં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. તેથી માથાદીઠ પાણીનો વપરાશ વધતો જાય છે.વિશ્વમાં સૌથી વધુ ચાર પગવાળા પશુઓ ભારતમાં છે. આ પશુઓની સંખ્યામાં વધારો થતો જાય છે. તેમના જીવન માટે તેમ જ પાલતુ પશુઓને નવડાવવા ધોવડાવવામાં માટે પાણીનો વપરાશ વધતો જાય છે. ઈ.સ. ૧૯૫૧ માં ભારતમાં નાગરિકોને દર વર્ષે માથાદીઠ ૫૧૭૭ ધન મીટર જેટલું મીઠું પાણી મળતુ હતું. હાલ પ્રતિવર્ષ પ્રતિ વ્યક્તિએ પાણીની ઉપલબ્ધતા ૧૫૨૫ ઘનમીટર છે. પાણીના સંગ્રહનું યોગ્ય આયોજન નહી હોય તો ૨૦૨૫ માં માત્ર ૧૦૬૦ ઘનમીટર થઈ જશે. આથી જ વિશ્વ બેંક પોતાના અહેવાલમાં એમ જણાવે છે કે, ભારત પાણીનો વપરાશ કરવાની પોતાની આદતો બદલશે નહીં તો આગામી બે દાયકામાં ભારત પાસે પાણીનો વહિવટ કરવા માટેના રૂપિયા નહી હોય અને લોકોની પ્યાસ બુઝાવવા માટે પાણી નહીં હોય. દેશમાં ઉદ્યોગોનો વિકાસ છેલ્લા કેટલાક સમયથી ઝડપથી થઈ રહ્યો છે. ઉદ્યોગો પોતાની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન પાણીનો ઉપયોગ કરે છે. તેમ જ કાચા માલને શુદ્ધ કરવા કે ઉત્પાદીત થયેલ તૈયાર માલના શુદ્ધિકરણ માટે પાણીનો બેરોકટોક (બેફામ) ઉપયોગ કરે છે. ઉદ્યોગોની કુલ સંખ્યામાં વધારો થતા, ઉત્પાદન ટેકનોલોજી બદલતા અને વિશ્વબજાર હાંસલ કરવામાં ઝડપી ઉત્પાદન પ્રક્રિયા અમલ મૂકતા પાણીનો વપરાશ વધ્યો છે.
સાથે સાથે ઉદ્યોગોએ પાણીનું પ્રદૂષણ પણ વધાર્યું છે.ભારતમાં પાણીનો કુલ વપરાશ છે તેના ૧૫ ટકા પાણી ઉદ્યોગોમાં વપરાય છે. ઉદ્યોગો પાણીનો વપરાશ બે રીતે કરે છે. ઠંડા પીણા, ફુડ, કલોલ આલ્કી જેવા ઉદ્યોગમાં પાણી ઘટક તરીકે વપરાય છે. બીજી રીતે મોટા ભાગના ઉદ્યોગોમાં ગરમીનું વહન કરવા પ્રોસેસિંગ કરવા માટે પાણીનો ઉપયોગ કરે છે. અને તેમાંથી ૯૫ ટકા જેટલું પાણી પ્રદૂષિત બનાવીને બહાર છોડવામાં આવે છે. વળી આ પ્રદૂષિત પાણી નજીકના તળાવ, નદી, કુવા કે ભૂગર્ભજળને પ્રદૂષિત બનાવે છે.ઉર્જાએ ૨૧ મી સદીના ભારતનું એક મહત્વનું અંગ છે. ઔદ્યોગિક વિકાસ, ખેતીક્ષેત્રે સિંચાઈ અને પ્રોસેસીંગ માટે દેશની માથાદીઠ આવક વધતા સુખ સગવડના સાધનો વધવા ના કારણે અને સેવા ક્ષેત્રનો પણ વિકાસ થતા તેમાં પણ ઉર્જાની માંગમાં ધરખમ વધારો થતો જાય છે. આમ, ઉર્જાના ઉત્પાદન માટે પાણીની માંગમાં ઝડપી વધારો થઈ રહ્યો છે.
પાવર પ્લાન્ટો ઉદ્યોગોના ભાગે આવતું ૮૮% પાણીનો ઉપયોગ કરે છે. સાથે સાથે ભારતમાં એક મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા ૮૦ ઘનમીટર પાણી વેડફાઈ છે. જ્યારે વિશ્વના શ્રેષ્ઠ પાવર પ્લાન્ટમાં આટલી ઉર્જા સાથે સાથે ભારતમાં એક મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા ૮૦ ઘનમીટર પાણી વેડફાઈ છે. જ્યારે વિશ્વના શ્રેષ્ઠ પાવર પ્લાન્ટમાં આટલી ઉર્જા વર્તમાન સમયમાં પણ ભારતમાં વાસ્તવિકતા જળની પ્રાપ્તિ અને વપરાશ વચ્ચેનો ફરક વધતો જાય છે જે ભારત માટે ખતરાની નિશાની સમાન છે. ભારતમાં પાણીની વધતી જતી માંગ અને તેની સિમિત ઉપલબ્ધતાના લીધે જળ સંકટ વધુ ને વધુ ઘેરું બનતું જાય છે. પાણીની અછત ઉભી થવાનું એક અગત્યનું કારણ ભૂગર્ભ જળનું વધુ પડતું દોહન પણ છે.

Related posts

बलात्कारियों को फांसी दी जाए

aapnugujarat

लड़ाकू विमान राफेल का चेहरा

editor

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1