ચંદીગઢમાં માહોલી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ-૧૧ની બીજી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી ડેરડેવિલ્સ ઉપર છ વિકેટે જીત મેળવી હતી. સાત બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ આ મેચ જીતી લેવામાં આવી હતી. દિલ્હી ડેરડેવિલ્સ તરફથી ગંભીરે સૌથી વધુ ૫૫ રન કર્યા હતા. આના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબે રાહુલના માત્ર ૧૬ બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ઝંઝાવતી ૫૧ રનની મદદથી આ મેચ જીતી લીધી હતી. આ ઉપરાંત નાયરે ૩૩ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૫૦ રન કર્યા હતા. છેલ્લે સ્ટેનોઇઝે ૧૫ બોલમાં ૨૨ રન કર્યા હતા. મેન ઓફ દ મેચ તરીકે લોકેશ રાહુલની પસંદગી કરવામાં આવી હતી. રાહુલે આ મેચમાં તમામને પ્રભાવિત કર્યા હતા અને મેચમાં છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવી હતી. કિંગ્સ ઇલેવન પંજાબે જીત સાથે શાનદાર શરૂઆત કરી હતી. બોલ્ટ એક વિકેટ ઝડપી શક્યો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ