પ્રિયા પ્રકાશ વારિયરના ઇન્ટરનેટ ઉપર વાયરલ થયેલા ગીતને લઇને વિવાદની સાથે સાથે રાજકીય ખેંચતાણ પણ શરૂ થઇ ગઇ છે. પોતાની આંખોથી તમામને પ્રભાવિત કરનાર પ્રિયા પ્રકાશ રાતોરાત સુપર સ્ટાર બની છે. તે રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે. આ મલિયાલી અભિનેત્રી પ્રિયાને અભૂતપૂર્વ લોકપ્રિયતા મળ્યા બાદ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પ્રિયાના આ ગીતને મુસ્લિમ વિરોધી દર્શાવીને હૈદરાબાદના કેટલાક યુવાનોએ આની સામે એફઆઈઆર દાખલ કરી દીધી છે. ત્યારબાદ ફિલ્મના નિર્દેશકની સાથે સાથે પોતે પ્રિયા પણ બચાવમાં આગળ આવી છે. બીજી તરફ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ ગીત મારફતે સંઘ ઉપર પ્રહાર કર્યા છે. મુસ્લિમ યુવાનો દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં આ ગીતને ધર્મની સામે ગણાવીને વિરોધ કરાયો છે. જો કે, ફિલ્મના નિર્દેશક ઓમર લુલુનું કહેવું છે કે, આ ગીત ઇસ્લામ વિરોધી નથી બલ્કે તે મોહમ્મદ સાહેબની પ્રશંસા કરે છે. આ કોઇ રોમેન્ટિક ગીત નથી બલ્કે પારંપરિક મુસ્લિમ ગીત છે. વિડિયોના કેટલાક દૃશ્યોના કારણે તે રોમેન્ટિક દેખાય છે. તેમનું કહેવું છે કે, આ ગીત કોઇ ભાવનાઓને ઠેસ પહોંચાડનાર નથી. આમા ઇસ્લામ અને મુસ્લિમોની સામે કોઇ પણ વાત કરવામાં આવી નથી. આ ખુબ જ જુનુ ગીત છે જેને જુદા જુદા સમુદાય દ્વારા વગાડવામાં આવે છે. બીજી બાજુ પ્રિયાએ કહ્યું છે કે, આ ગીતને દેશ વિદેશમાં ખુબ લોકપ્રિયતા મળી રહીછે. જો કે, કેટલાક મુસ્લિમો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ યુવકોનું કહેવું છે કે, આ ગીત મોહમ્મદ સાહેબ અને તેમની પત્નિ અંગે છે. આનાથી ઇસ્લામનું અપમાન થઇ રહ્યું છે પરંતુ આવું માનનાર ખુબ ઓછા લોકો છે. એસીપી સઇદ ફયાદનું કહેવું છે કે, એક વ્યક્તિએ ફિલ્મ ઓરુ અદાર લવના નિર્દેશક ઓમર લુલુની સામે ફરિયાદ દાખળ કરી છે. એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ગીત મુસ્લિમ સમુદાયની ભાવનાઓને નુકસાન પહોંચાડે છે. આ મામલામાં કલમ ૨૯૫એ હેઠળ કેસ દાખલ કરાયો છે. માણિક્ય મલરાયા પુવીનો મતલબ મોતીના ફુલ સાથે છે જે ખુબ કિંમતી હોય છે. હકીકતમાં માલાબાર ક્ષેત્રમાં મુસ્લિમો દ્વારા ધાર્મિક આયોજનમાં આ ગીત વગાડવામાં આવે છે. આ ગીત પેગમ્બર મોહમ્મદ અને તેમની પત્નિ ખાદીઝાની પ્રેમ કથા ઉપર છે જેથી આ ગીતને પેગમ્બરના અપમાન તરીકે ગણાવામાં આવે છે.