વડોદરા જિલ્લાના ડભોઈમાં નર્મદા યાત્રા સમાપન સમારોહ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા માટે તડામાર તૈયારી કરવામાં આવી છે.વડાપ્રધાન મોદીના આગમન પહેલા રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ડભોઈમાં સભા સ્થળની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા ડભોઈમાં ચૂસ્ત સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરવામા આવ્યું છે. સુરક્ષા બંદોબસ્તની જો વાત કરવામાં આવે તો ૯ ડીએસપી, ૩૫ ડીવાયએસપી, ૮૪ પીઆઈ, ૨૮૯ પીએસઆઈ, ૫૨ મહિલા પીએસઆઈ, ૨૮ એસઆરપીની કંપની, ૨૫૪૪ પોલીસ જવાન, ૪૬૨ મહિલા પોલીસ, ૯૦૨ હોમગાર્ડના જવાન સહિત ૮ ઘોડેસવાર જવાનો બંદોબસ્તમાં ખડેપગે રહેશે.જ્યારે વડાપ્રધાન મોદીની સભામાં બે લાખથી વધારે જનમેદની ઉમટી પડવાની છે, જેને ધ્યાનમાં રાખી ડભોઈમાં સુરક્ષાનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.