Aapnu Gujarat
બિઝનેસ

FPI દ્વારા ઇક્વિટીમાંથી કુલ બે અબજ ડોલર પરત ખેંચાયા

વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં ઇક્વિટીમાંથી બે અબજ ડોલર પાછા ખેંચી લીધા છે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં મંદીના પરિણામ સ્વરુપે આ અસર જોવા મળી છે. સાથે સાથે કોર્પોરેટ કમાણીના આંકડા પણ નિરાશાજનક રહેતા દહેશત વધી ગઈ છે. બીજી બાજુ આ ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં એફપીઆઈ દ્વારા ૧૩૦૦૦ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. એફપીઆઈ દ્વારા પહેલીથી ૨૪મી ઓગસ્ટ દરમિયાન સ્ટોક માર્કેટમાંથી ૧૨૬૨૬ કરોડ પાછા ખેંચી લેવાયા છે. આની સાથે જ ફેબ્રુઆરી-જુલાઈ ૨૦૧૭માં છ મહિનામાં નેટ ઇનફ્લોનો આંકડો ૬૨૦૦૦ કરોડનો રહ્યો છે. નવા આંકડા સાથે ઇક્વિટી માર્કેટમાં કુલ રોકાણનો આંકડો ૪૮૩૨૯ કરોડ રહ્યો છે. ડેબ્ટ માર્કેટમાં કોઇ દહેશત દેખાઈ રહી નથી. ડેબ્ટ માર્કેટમાં જંગી નાણા ઠાલવી દેવાયા છે. ફેબ્રુઆીરીથી જુલાઇ ૨૦૧૭ વચ્ચેના છેલ્લા છ મહિનામાં નેટ ઇનફ્લોનો આંકડો ૧.૧૬ લાખ કરોડ સુધી રહ્યો છે. તે પહલા ૨૩૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. બીજી ઓગષ્ટના દિવસે આરબીઆઇ દ્વારા રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વિદેશી રોકાણકારોએ ભારતીય મુડીબજારમાં જંગી નાણાં ઠાલવી દેવાની પ્રક્રિયા જારી રાખી છે. માર્ચમાં વિદેશી રોકાણકારો દ્વારા કેમિપલ માર્કેટમાં ૫૬૨૬૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે શુ સ્થિતી સર્જાઇ જશે તેની નોંધ ટુંક સમયમાં જ લેવામાં આવનાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એફપીઆઇના ધારાધોરણ સરળ બનાવી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા સત્તામાં ગાળા દરમિયાન વિકાસ અને આર્થિક પ્રવૃતિ ઝડપી બનતા વિદેશી રોકાણકારો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત સહિત કેટલાક પરિબળના કારણે તેજી રહી છે. છેલ્લા ચાર મહિના (ફેબ્રુઆરી-મે)માં ૧.૩૩ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ રકમ ઠાલવી દેવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે વધારે રોકાણ આવશે.મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, જીએસટી અમલી બની ગયા બાદ ભારતમાં રોકાણની ગતિ વધી જશે. ફેબ્રુઆરી-એપ્રિલના ગાળા દરમિયાન નેટ ઈનફ્લોનો આંકડો ૯૪૯૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો. આ પહેલા આવા રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ૩૪૯૬ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કટમાંથી પાછા ખેંચી લીધા હતા. ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર ઉલ્લેખનીય પ્રવાહ જોવા મળી રહ્યો હતો. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૫૮૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઓક્ટોબર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૮૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં

editor

એક વર્ષમાં યુપીઆઈ પેમેન્ટમાં ૪૨ ટકાની વૃદ્ધિ જોવા મળી

aapnugujarat

આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સીએ મૂડીઝે કેન્દ્રીય બજેટના કર્યા વખાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1