Aapnu Gujarat
ગુજરાત

અપગ્રેડ થઈ રહ્યું છે અમદાવાદ એરપોર્ટ

સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વિદેશ જઈ રહ્યા છો કે વિદેશથી રજાઓ માણવા ભારત આવી રહ્યા છો? તો તમારો ડિપાર્ચર અને અરાઈવલનો અનુભવ હવે વધુ સગવડભર્યો બનશે. આગામી દિવસોમાં પેસેન્જરોનો ધસારો વધવાની અપેક્ષાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરાશે અને મેનેજમેન્ટ સરળ રહે એવી વ્યવસ્થા કરવામાં આવશે. થોડા દિવસ પહેલા જ પેસેન્જરોની ફરિયાદ હતી કે, અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી ચેક-ઈન પોઈન્ટ પર ખૂબ લાંબી લાઈન હોય છે. મુસાફરોને આ હાલાકી ના વેઠવી પડે અને ભીડ ના થાય એ માટે સિક્યોરિટી ચેક-પોઈન્ટને વિસ્તારવામાં આવશે. ઉપરાંત ચેક-ઈન કાઉન્ટર પણ અપગ્રેડ કરવામાં આવશે જેથી ઝડપથી પેસેન્જરોની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. અમદાવાદ એરપોર્ટ પર થઈ રહેલા આ મેકઓવરની માહિતી રાખનારા વિશ્વસનીય સૂત્રોએ અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, “ચેક-ઈન અને સિક્યોરિટી ચેક જેવા મહત્વના પોઈન્ટ્સ પર પેસેન્જરોની લાંબી કતાર ના થાય એ માટે SVPI એરપોર્ટના ટર્મિનલ 2 પરના સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ પર બેગેજ એક્સ-રે મશીન બમણી સંખ્યામાં મૂકવામાં આવ્યા છે.

એક્સ-રે મશીનના છ યુનિટ મૂકવામાં આવ્યા છે જેથી પેસેન્જરોની લાંબી લાઈનો નહીં લાગે અને સરળતાથી સામાનનું સ્કેનિંગ થઈ જશે. તદુપરાંત ત્રણ નવા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD) ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેથી હવે અમદાવાદ એરપોર્ટ પર ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરની સંખ્યા વધીને 9 થઈ ગઈ છે.”સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 28 ચેક-ઈન કાઉન્ટર્સ છે. જેમાંથી છને અપગ્રેડ કરવામાં આવ્યા છે જેથી એકસાથે પેસેન્જરોની બે લાઈનનું સંચાલન કરી શકે.

જેનાથી પેસેન્જરોને હેન્ડલ કરવાની કેપેસિટી વધશે. “SVPI એરપોર્ટના સંચાલક બાકીના ચેક-ઈન પોઈન્ટ્સને પણ અપગ્રેડ કરવાની યોજના બનાવી રહ્યા છે”, તેમ સૂત્રોનું કહેવું છે.ટર્મિનલના અરાઈવલ સેક્શનના ઈમિગ્રેશન એરિયાને પણ વિસ્તારવામાં આવ્યો છે. વધુ પેસેન્જરોને સમાવી શકાય એ હેતુસર 2,550 ચોરસ મીટર જેટલો મોટો કરવામાં આવ્યો છે. પેસેન્જર રશને ઘટાડવા માટે અરાઈવલ એરિયામાં 24 જેટલા ઈમિગ્રેશન કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર હાલ છ બોર્ડિંગ ગેટ્સ છે. એરપોર્ટના વિસ્તરણના આગામી તબક્કામાં એરપોર્ટ સંચાલક અન્ય કેટલાક બોર્ડિંગ ગેટ અને એરો બ્રિજ શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તેમ સૂત્રોનું કહેવું છે. 2023માં અમદાવાદ એરપોર્ટ પરથી 1.16 કરોડ પેસેન્જરોએ અવર-જવર કરી હતી. મતલબ કે, એક દિવસમાં 31,780 જેટલા પેસેન્જરો દરરોજ અહીંથી અવરજવર કરે છે.

Related posts

ભાવનગર શહેરમાં પીવાના પાણીની તંગી

editor

Gujarat govt to buy 320 cr new fixed-wing airplane, helicopter for use dignitaries

aapnugujarat

રાણકપુર કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી

editor
UA-96247877-1