રાજકોટ શહેરમાં આગામી તા. ૨૫ ઓગષ્ટથી ૫મી સપ્ટેમ્બર દરમિયાન ગણેશ ઉત્સવની ઉજવણી અન્વયે રાજકોટ શહેર કમિશ્નરેટના વિસ્તારમાં જે સ્થળે ઘરેલું કે જાહેર જગ્યામાં ગણપતીની મુર્તિની સ્થાપના કરવામાં આવનાર છે. તે સ્થળ અને સ્થાપના તથા વિસર્જન સમયે કાઢવામાં આવનાર સરઘસો માટે જે-તે વિસ્તાર કે હદના પોલીસ સ્ટેશન ખાતેથી સાત દિવસ અગાઉ નિયત નમુનામાં મંજુરી મેળવી લેવાની રહેશે. આ માટે જે-તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જશ્રી પાસેથી “ ધાર્મીક સરઘસ યોજવા અંગેની અરજીનો નમુનો “ક” નું નિયત ફોર્મ ભરી મંજૂરી મેળવી શકાશે. આ ઉપરાંત ગણપતિજીની સ્થાપના સ્થળ ખાતે માઇક વગાડવાની મંજુર પણ લીખતમાં અરજી કર્યાથી મેળવી શકાશે. જેની જાહેરજનતાએ નોંધ લેવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટશ્રી અનુપસિંહ ગહલૌતની યાદીમાં જણાવાયું છે.
આગળની પોસ્ટ