Aapnu Gujarat
Uncategorized

રાજકોટ શહેરમાં ગણેશ ઉત્સવ ઉજવણી અન્વયે આયોજકોએ અગાઉથી પોલીસ મંજૂરી મેળવી લેવી 

રાજકોટ શહેરમાં આગામી તા. ૨૫ ઓગષ્ટથી ૫મી સપ્ટેમ્બર દરમિયાન ગણેશ ઉત્સવની ઉજવણી અન્વયે રાજકોટ શહેર કમિશ્નરેટના વિસ્તારમાં જે સ્થળે ઘરેલું કે જાહેર જગ્યામાં ગણપતીની મુર્તિની સ્થાપના કરવામાં આવનાર છે. તે સ્થળ અને સ્થાપના તથા વિસર્જન સમયે કાઢવામાં આવનાર સરઘસો માટે જે-તે વિસ્તાર કે હદના પોલીસ સ્ટેશન ખાતેથી સાત દિવસ અગાઉ નિયત નમુનામાં મંજુરી મેળવી લેવાની રહેશે. આ માટે જે-તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જશ્રી પાસેથી “ ધાર્મીક સરઘસ યોજવા અંગેની અરજીનો નમુનો “ક” નું નિયત ફોર્મ ભરી મંજૂરી મેળવી શકાશે. આ ઉપરાંત ગણપતિજીની સ્થાપના સ્થળ ખાતે માઇક વગાડવાની મંજુર પણ લીખતમાં અરજી કર્યાથી મેળવી શકાશે. જેની જાહેરજનતાએ નોંધ લેવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટશ્રી અનુપસિંહ ગહલૌતની યાદીમાં જણાવાયું છે.

Related posts

Attack on police team due to raid the indigenous liquor making unit, 23 arrested including 21 women

aapnugujarat

कांग्रेस का हिंदुत्व पर फोकस, सौराष्ट्र में पार्टी देगी पूजा किट

aapnugujarat

કાંકરેજનાં ભદ્રવાડીથી સાકરીયા સુધીના બિસ્માર રસ્તાથી સ્થાનિક પરેશાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1