પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીની દિકરી શર્મિષ્ઠા મુખર્જીએ છોકરીઓની આઝાદી વિશે વાત કરતા કહ્યુ કે, જો હું રાતે ૧૨ વાગે ઘરની બહાર ફરુ, તેનો મતલબ એ નથી કે મારું રેપ થાય, મારી સાથે છેડછાડ થાય કે પછી મારો પીછો કરવામાં આવે. મારી પ્રતિષ્ઠા પર મારો અધિકાર છે. શર્મિષ્ઠા મુખર્જીએ આ વાત ટિ્વટર કહી છે. ત્યારબાદ ટિ્વટર યૂઝર્સે શર્મિષ્ઠાના એકાઉન્ટ પર પોતાની પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી છે. શર્મિષ્ઠા મુખર્જી આ પહેલા પણ મહિલાથી જોડાયેલા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપતી આવે છે. તેમની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે, જ્યારે હાલમાં જ હરિયાણાના બીજેપીના અધ્યનના દિકરા પર આઇએએસની દિકરીનો પીછો કરવાનો અને છેડછાડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પાછલી પોસ્ટ