Aapnu Gujarat
ગુજરાત

કેસર કેરીની અછત વર્તાઈ શકે, ખરાબ હવામાનથી ઉત્પાદનને અસર

કેરીના રસિકો રસદાર કેસર કેરીના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. પરંતુ કેરીના રસિકો આ ગરમીમાં તેનો ભરપૂર આનંદ નહીં લઈ શકે. દિવસ અને રાત્રીના તાપમાનમાં ભારે તફાવત અને કમોસમી વરસાદ સાથે આ અઠવાડિયે ભીના હવામાનની આગાહી છે. જેના કારણે જૂનાગઢ અને અમરેલીના બગીચાઓમાં ફળ ઉગાડવાની પ્રક્રિયાને ખરાબ રીતે અસર થઈ છે. જ્યાં કેસર કેરીની ખેતી કરવામાં આવે છે. એટલે આ વર્ષે કેસર કેરીનો સપ્લાય પણ ઘટે એવી શક્યતાઓ રહેલી છે.
કેરીની ખેતી કરતા ખેડૂતો કહે છે કે, 2022ની સરખામણીમાં ઉત્પાદન 25-30 ટકા ઓછુ થઈ શકે છે. જો આવી સ્થિતિ રહેશે તો ગ્રાહકોને ફળોની દુકાનેથી નિરાશ થઈને પરત ફરવાનો વારો આવી શકે છે. ઉત્પાદનને ફટકો પડ્યો છે, કારણ કે 2021ના ચક્રવાત તૌકતેના કારણે મોટી સંખ્યામાં બગીચાઓને નષ્ટ કરી નાખ્યા હતા. વધુમાં આ વર્ષે ગુણવત્તાયુક્ત કેસર કેરી માટે લોકોએ મે મહિનાના મધ્ય સુધી રાહ જોવી પડશે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલા તલાલામાં કેરીની 200 વેરાઈટી ઉગાડનારા ખેડૂત ગફુર કુરેશીએ જણાવ્યું કે, આ સિઝનમાં કેસર માટે હવામાન બિલકુલ અનુકૂળ નથી. જે ઝાડ પર ડિસેમ્બર મહિનામાં ફૂલ આવ્યા હતા, તેમાં ફળ ઉગવાની શરુઆત થઈ ચૂકી છે. જ્યારે જે ઝાડ પર જાન્યુઆરી મહિનામાં ફૂલ આવ્યા હતા, તે ખરાબ થઈ ચૂક્યા છે. કેટલોક પાક ખરાબ વાતાવરણના કારણે તો કેટલોક પાક બીમારીના કારણે બરબાદ થઈ ચૂક્યો છે.

સામાન્ય રીતે કેરીના ઝાડ પર ડિસેમ્બર મહિનામાં ફૂલ આવવાનું શરુ થઈ જતુ હોય છે. આ શિયાળામાં તાપમાન 25-30 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે રાત્રીનું તપામાન 10-12 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જાણકારોનું કહેવું છે કે, દિવસ-રાત્રીના તાપમાનમાં ઉતાર ચઢાવ 10 ડિગ્રીથી વધારે ન હોવું જોઈએ. જો કે, ડિસેમ્બરના અંતમાં શિયાળો શરુ થયો હતો અને એ પછી પડેલી ઠંડીના કારણે ફૂલોને નુકસાન થયુ હતુ. ફેબ્રુઆરી મહિનામાં પણ આવું જ વાતાવરણ રહ્યું હતું. તાજેતરમાં જ અમરેલી અને જૂનાગઠના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેની અસર કેરીના પાક પર થઈ હતી.

સૂત્રોનું કહેવું છે કે, કેસર કેરીના બોક્સ કે જે મે મહિનાના પ્રારંભથી બજારમાં આવી શકે છે. તે કેરીઓને વહેલી પકાવવા માટે હોર્મોન્સનો ઉપયોગ કર્યો હતો. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની હોર્ટીકલ્ચર કૉલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ફ્રૂટ સાયસન્સના ડી.કે. વારુએ જણાવ્યું કે, નુકસાનનો અંદાજ કાઢવો એ વહેલો છે. પરંતુ શીત લહેર અને કમોસમી વરસાદે ચોક્કસથી કેટલાંક વિસ્તારોમાં પાકને નુકસાન પહોંચાડ્યું છે. જે 40 ટકા ઝાડ પર નવેમ્બર-ડિસેમ્બરમાં ફૂલ આવ્યા તેમાં વધારે કોઈ મુશ્કેલી નથી. પરંતુ જે ઝાડ પર ફેબ્રુઆરી મહિનામાં ફૂલ આવ્યા તે ઉંચા તાપમાનના કારણે ખરાબ થઈ ગયા છે.

Related posts

ભીલાપુર ગામ નજીકથી ગાયો ભરેલી ટ્રક ઝડપાઈ

editor

२०१७ चुनाव में महिला मतदाता की भूमिका अहम

aapnugujarat

चोरी की बाइक और पल्सर के साथ दो आरोपी गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1