કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત ફરી બગડી છે. તેમને સારવાર માટે દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેઓ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.રમેશ પોખરિયાલ નિશંક ૨૧ એપ્રિલે કોરના પોઝિટિવ આવ્યા હતા. ૬૧ વર્ષીય શિક્ષણમંત્રી થોડા દિવસની સારવાર બાદ સ્વસ્થ થયા હતા, પરંતુ તે સંક્રમણ બાદ થતી મુશ્કેલીઓને લીધે તેમની તબિયત બગડી છે.રમેશ પોખરિયાલ નિશંક એપ્રિલ મહિનામાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમણે ટિ્વટ કરી આ અંગે જાણકારી આપી હતી કે, હું તમને જણાવવા માગુ છુ કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેન્દ્રીય શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, શિક્ષણ વિભાગનું કામ સામાન્ય રીતે જરૂરી સાવધાનીઓ સાથે ચાલી રહ્યો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ