Aapnu Gujarat
ગુજરાત

ખેડુત કલ્યાણના સૂત્ર ને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : નાયબ મુખ્યમંત્રી

મહેસાણા જિલ્લાના કડી કોટન માર્કેટયાડ ખાતે યોજાયેલા ખેડુત સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ખેડુતોના વિકાસ માટે ‘‘સાત પગલાં ખેડુત કલ્યાણ ના’’ સુત્રને સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. રાજ્યના લાખો કિસાનોના હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે એજ રીતે કરા, માવઠું, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ ખેડુતો ને બેઠા કરવા તથા આર્થિક રિતે સદ્રર કરવા માટે રાજ્ય સરકારે આ યોજના અમલી બનાવી છે “નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ઉમેર્યું હતું કે સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ખેડુતોને ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવાનો પરિણામલક્ષી નિણર્ય અમે કર્યા છે .કૃષિ ઉત્પાદર્નોના પરિવહન માટે મિડિયમ સાઈઝના ગુડ્‌ઝ કેરિયર વાહન ઉપર સહાય આપવાની આ સરકારે શરૂઆત કરી છે. ફળ, શાકભાજીનું છુટક વેચાણ કરીને ગુજરાન ચલાવતા ખેડૂતો માટે ઠંડી, ગરમી અને વરસાદ થી રક્ષણ આપવા માટે તેમને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મૂકી છે. નાયબ મુખ્યમંત્રી જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતોના હિતમાં ઝીરો ટકા વ્યાજે ધીરાંણ આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં ખેડૂત દીઠ વાર્ષિક રૂ.૬ હજારની સહાય આપવામાં આવે છે તેમણે મહેસાણા જિલ્લાના કિસાનોને ટપક સિંચાઈ યોજનાનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ જણાવ્યું હતું કે કોરનાના પગલે નાના વ્યવસાયકારોની મુશ્કેલી દુર કરવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજયભરમાં કરોડો રૂપિયાની લોન બે ટકાના વ્યાજે દરે આપવામાં આવી છે. આ યોજનામાં નાગરિકો વતી ૬ ટકા સરકાર દ્વારા ચુકવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણથી આવન-જાવન કરતા નાગરિકોને પ્રેરણા મળશે દેશ એકતા અને અખંડિતા સાથે પ્રધાનમંત્રીના નેતુત્વમાં વિશ્વગુરુ બનવા જે રહ્યો છે. કડી કોટન માર્કેટયાડના મુખ્યપ્રવેશ દ્વારા તેમજ કોટન માર્કેટયાડના પ્રવેશદ્વાર પર સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કડી કોટન માર્કેટયાડ ખાતે ખેડૂતોના હિતમાં ૧૦૦ ટન વે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ.૪૦.૮૨ કરોડના ખર્ચે નિમિત્ત રેલ્વે વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગના સયુંકત સહયોગથી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ થી ડાંગરવા રસ્તા પર નિમિત્ત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કયું હતું .આ રેલ્વે ઓવરબ્રિજ બનવાથી ડાંગરવા અને ઝુલાસણ ગામના નાગરિકોને સીધો લાભ મળી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ કોર્ટન માર્કેટયાડ ખાતે કોટન ટેસ્ટીગ લેબોરેટરી રૂમનું નિરિક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા. ખેડુત સંમેલનમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાભાર્થીઓને લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ વરસાદી વીજળીથી મૃત્યુ પામેલ પશુઓના માલિક લાભાર્થીઓને ચેક સહાય અપાઈ હતી. આ કાર્યક્રમમાં સંસદ શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદ જુગલજી ઠાકોર, કડી ના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લાના વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ, પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

કોંગ્રેસને ભાજપની લોકસેવાની ઇર્ષ્યા આવે છે : પંડ્યા

aapnugujarat

જિજ્ઞેશ મેવાણી ગૃહમાં એવું તો શું બોલ્યા કે નીતિનભાઈ ઉકળી ગયા

aapnugujarat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર ભાગ દ્વારા વિજયદશમી ઉત્સવનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1