Aapnu Gujarat
ગુજરાત

હાલોલથી રામ જન્મભૂમિ માટે જળ અને માટી મોકલાઈ

રામજન્મ ભુમિ ગણાતી અયોધ્યા નવનિર્મિત ભવ્ય રામમંદિરનુ ખાતમુર્હુત થવાનું છે. રામ મંદિર બને તેવી દેશના કરોડો હિન્દુઓની આસ્થા પુરી થવા જઈ રહી છે. હિન્દુવાદી સંગઠનો પણ ફૂલ નહીં તો ફુલની પાંખડી સ્વરૂપે ીકંઈક આપવા ઇચ્છા દર્શાવી હતી તેના ભાગરુપે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દેશની તમામ જગ્યાએ આવેલા ધાર્મિક સ્થળનું પવિત્ર જળ અને માટી અયોધ્યા મંદિરના નિર્માણકાર્યના ઉપયોગમાં મોકલવાનુ આયોજન કર્યું હતું જેના જેના ભાગરુપે પંચમહાલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હાલોલ તાલુકાના ધાર્મિક સ્થાનો કંજરી રામજી મંદિર, સુપ્રસિધ્ધ પાવાગઢ મહાકાલી મંદિર તથા તાજપુરા નારાયણ ધામની પવિત્ર જળ માટી પૂજાવિધિ એકત્રિત કરીને અને અયોધ્યા ખાતે જ્યા રામમંદિર બનવાનું છે ત્યાં મોકલવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે નર્મદા જીલ્લાના કેવડીયા કોલોની સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઉચી (સરદાર વલ્લભભાઇ પટેલ) સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવામાં આવ્યું ત્યારે દેશભરના ગ્રામીણ વિસ્તારમાથી લોખંડ તેમજ માટી ખેડૂતો દ્વારા મોકલવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

Chanakya Niti: આ આદતો માણસને ક્યારેય આગળ વધવા દેતી નથી, જાણો આજની ચાણક્ય નીતિ

aapnugujarat

પાટણમાં મેડિકલ કૉલેજમાં મહિલાએ ડિપાર્ટમેન્ટના ત્રાસથી નોકરી છોડી

aapnugujarat

આજે CR અને CM ની અધ્યક્ષતામાં શહેરના ૧૦ હજારથી પણ વધુ સક્રિય કાર્યકર્તાઓનું સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1