Aapnu Gujarat
ગુજરાત

આજે CR અને CM ની અધ્યક્ષતામાં શહેરના ૧૦ હજારથી પણ વધુ સક્રિય કાર્યકર્તાઓનું સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાશે

કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી પ્રમાણે, આજે સાંજે ૫.૦૦ કલાકે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, ટાગોર હોલ પાછળ કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગરના ૧૦ હજારથી પણ વધુ સક્રિય કાર્યકર્તાઓનું સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાશે.

આજે યોજાનાર સક્રિય કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ મહામંત્રી અને કર્ણાવતી મહાનગરના પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશ સહ કોષાધ્યક્ષ અને પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અમિતભાઇ પી. શાહ, ધારાસભ્યઓ, સાંસદો, ચૂંટાયેલી પાંખ, મહાનગરમાં રહેતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ શહેર સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

ચૂંટણીઓ વહેલી યોજાય તેવા અણસાર આવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ પ્રકારનું પ્લાનિંગ ચૂંટણીઓ શરુ થાય એ પહેલા જ કરી દેવામાં આવ્યું છે.

સીઆર પાટીલ અે માઈક્રાે લેવલના પ્લાનિંગ માટે જાણીતા છે ત્યારે આગામી વિધાન સભાની ચૂંટણી પહેલા જ ભાજપ અત્યારથી જ એક્શનમાં આવી ગઈ છે.

ગઈ કાલે પ્રશાંત કોરાટે 6 જાન્યુઆરી ભાજપના સ્થાપના દિવસથી 25 તારીખ સુધીના કાર્યક્રમોની ઝાંખી કરાવી હતી ત્યારે આગામી સમયમાં 182 વિધાનસભાની દીઠ પેજ કમિટીનું સંમેલન પણ થવા જી રહ્યું છે. આ ઉપરાંત ગઈ કાલે સોશિયલ મીડિયા અને આઈટી ટીમ સાથેની બેઠકનું આયોજન સીઆર પાટીલની અધ્યક્ષતામાં પણ કરવામાં આવ્યું હતી ત્યારે શકિત પ્રદર્શન રૂપી આ મહત્વનો કાર્યક્રમ આજે થવા જઈ રહ્યો છે.

Related posts

તા. ૧/૧/૨૦૧૮ ની લાયકાતના ધોરણે નર્મદા જિલ્લામાં આજથી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો થયેલો પ્રારંભ

aapnugujarat

बैंककर्मियों की सुरक्षा, सम्मान को नुकसान पहुंचाने की इजाजत किसी को नहीं : सीतारमण

editor

ગીર-સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલની અવિરત કામગીરી

editor

Leave a Comment

UA-96247877-1