Aapnu Gujarat
ગુજરાત

સાબરમતી નદીમાં માછીમારી કરતા યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું

સાબરમતી નદીમાં માછીમારી કરવા જતાં માછળીની જાળમાં ફસાઈ જતા યુવકનું ડૂબવાથી મોત નીપજ્યું હતું. કેમ્પ સદર બજારની પાછળના ભાગે સાંજના સમયે યુવક માછીમારી કરવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.
શાહીબાગ કેમ્પ સદર બજારના ભીલવાસમાં રહેતો નિરંજન ઉર્ફે ટાકી અતુલ દાતણિયા (ઉમર -૨૮) રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ માછીમારી કરવા માછળીનો જાળ લઈ નદીમાં ઉતર્યો હતો. માછળીના જાળમાં પગ ફસાઈ જતા તે નદીમાં ડૂબી ગયો હતો. અતુલ રાત્રે ૮.૩૦ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો નદી પર તપાસ કરવા ગયા ત્યારે ડૂબેલી હાલતમાં તેની લાશ મળી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે નિઃશુલ્ક હ્રદય રોગ નિદાન માર્ગદર્શન કેમ્પ યોજાયો

aapnugujarat

ગુપ્તચર તંત્ર દોડતું થયું, હાર્દિકની મહાપંચાયતને ‘બ્રેક’

aapnugujarat

पीएम मोदी से मतभेद खत्म करने तोगड़िया की अपील 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1