Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચીન સરહદે જવાનો માટે પીવાના પાણી અને વીજળીની સુવિધા પણ નથી

ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા એક રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ચીન બોર્ડર પર તૈનાત ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની ૮૨ ટકા ચોકીઓ પર સુવિધાની દ્રષ્ટિએ બહુ ખરાબ હાલત છે.આ ચોકીઓ પર જવાનો માટે પીવાનુ ચોખ્ખુ પાણી ઉપલબ્ધ નથી.૪૦ ટકા ચોકીઓ સુધી જવા માટે તો રસ્તા પણ નથી.એટલુ જનહી ૧૭૭ જેટલી ચોકીઓ પૈકી ૨૪ ટકા ચોકીઓને જ વીજ સપ્લાય મળે છે.બાકીની ચોકીઓ પર જનરટેરથી કામ ચલાવાય છે.
સંસદીય સમિતિ સમક્ષ આ રિપોર્ટ રજૂ કરાયો છે.જેની અધ્યક્ષતા કોંગ્રસેના નેતા ચિદમ્બરમ કરી રહ્યા છે.જેમાં ૨૯ સાંસદો સામેલ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીન બોર્ડર પર જવાનોને પહાડિયો પરથી વહેતા ઝરણા અને નાળામાંથી પીવાના પાણીનો ઉપયોગ કરવો પડે છે.જે ચોખ્ખુ નથી હોતુ.
એક તરફ ચીને પોતાની સરહદે તમામ સુવિધાઓ ઉભી કરી દીધી છે ત્યારે ભારત સરહદ પર જવાનો માટે મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી.
સંસદીય સમિતિએ સરકારને તરત જ પીવાના પાણીના મુદ્દાને ધ્યાનમાં લેવા માટે કહ્યુ છે.

Related posts

દારૂ નીતિ પર અન્ના હજારેએ કેજરીવાલને લખ્યો પત્ર

aapnugujarat

સત્તામાં આવવા મત મળશે તો ૩૫એ અકબંધ રહેશે

aapnugujarat

ગુજરાતના ગરબા નૃત્યને યુનેસ્કોની અમૂર્ત હેરિટેજ યાદી માટે નામાંકિત કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1