Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં સગીરાને ગોંધી રાખી બે દિન સુધી ત્રણ યુવકો દ્વારા દુષ્કર્મ

રાજકોટ શહેરમાં વધુ એક સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેણીને લગ્નની લાલચ આપી એક મકાનમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાને બે દિવસ ગોંધી રાખી અન્ય બે મિત્રો સાથે મળીને તેણીની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે ભોગ બનનાર સગીરાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેયને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં ત્રણેય શખ્સોને ઝડપી પાડ્‌યા હતા. સગીરાએ ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તારીખ ૧૧ના રોજ રાજદીપ રોલા નામનો શખ્સ તેણીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી મવડીના ક્રિષ્નાપાર્ક ખાતે એક મકાનમાં લઈ ગયો હતો. જ્યાં પોતાના બે મિત્રો જય કાછડિયા તેમજ ચિરાગ દેપાણી સાથે મળી તેણીની મરજી વિરુદ્ધ બે દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું અને તારીખ ૧૩ના રોજ સવારે મુક્ત કરી હતી. સગીરાની આ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી સગીરાના મેડિકલ ચેકઅપ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સગીરાની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં પોલીસે ત્રણેય આરોપી યુવકોને ઝડપી લીધા હતા. પોલીસે સામૂહિક દુષ્કર્મની આ ઘટનામાં ત્રણેય યુવકો વિરૂધ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. જો કે, રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મની ઘટનાઓને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.

Related posts

ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

aapnugujarat

A Home So Uncluttered That It Almost Looks Empty

aapnugujarat

मारुति सुजुकी का उत्पादन सितंबर में 26 प्रतिशत बढ़ा

editor

Leave a Comment

UA-96247877-1