Aapnu Gujarat
Uncategorized

મૃતક સફાઈ કર્મચારીનાં વારસદારની નોકરીમાં નિમણૂંક કરાઈ

ભાવનગર જિલ્લા ભાજપનાં પૂર્વ સફાઈ કામદાર સેલના સહ કન્વીનર અશોક બી. વેગડ (વિલિયમ) દ્વારા પાલીતાણા નગરપાલિકાનાં ચીફ ઓફિસરને રેહમરાહે નોકરીની પરિપત્ર મુજબ રજુઆત કરતાં પા. નગરપાલિકાનાં સફાઈ કામદાર દેવાયતભાઈ રણછોડભાઇ ડોડીયાનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થતાં તેમનાં સીધી લીટીના વારસદાર મનહરભાઇ ડી. ડોડીયાને પાલીતાણા નગર પાલિકાના પ્રમુખે સામાન્ય સભામાં રેહમરાહે નોકરી માટે નિમણૂંક કરવાનો ઠરાવ સર્વાનુમતે કરીને આજરોજ પ્રમુખની ચેમ્બરમાં જયપાલસિંહ ગોહિલ, ચીફ ઓફિસર જે. આર. દવે, શહેર ભાજપ પ્રમુખ નિતીન ચૌહાણ, નગર સેવક ઓમદેવસિંહ સરવૈયા તથા વાલ્મીકિ સમાજના આગેવાન અશોક વેગડ તથા પાલીતાણાના સતિષ એન. ડોડીયા, મનોજ એમ. ડોડીયા સહિતની હાજરીમાં મનહર દેવાયતભાઈ ડોડીયાને ફિક્સ પગારમાં સફાઈ કામદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે, તેથી પાલીતાણા વાલ્મીકિ સમાજ હર્ષની લાગણી અનુભવે છે.

Related posts

CM e-dedicates and e-launches Rs.41.36-cr Bhavnagar Range IGP office, police lines

editor

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થતા જ ગુજરાતના હજારો વિઘાર્થીઓ ફસાયા યુક્રેનમાં

editor

સુરેન્દ્રનગરની ‘હત્યારી સાવકી મા’નો કેસ નહીં લડે કોઇ વકીલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1