Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બીજેપીને મળી જીત : સુબ્રમણ્યમ સ્વામી

ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભવ્ય વિજયથી ખુશ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મોટી જીત મળી છે. આ સાથે તેમણે કહ્યું કે, હવે રામ મંદિર બનતા કોઇ રોકી શકશે નહી.જાણકારોના મતે- ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અયોધ્યા નગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર ઋષિકેશ ઉપાધ્યાયની જીત પર ખુશી જાહેર કરતા કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં ભાજપ રામ લહેર પર સવાર છે.ઉત્તરપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે. પ્રથમવાર અયોધ્યાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઉપાધ્યાયએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ગુલશન બિંદુને લગભગ ૪૬૦૦ મતોથી હાર આપી હતી. સ્વામીએ ટિ્‌વટ કરી કહ્યું કે, ૨૦૧૯ની લહેરની રાહ છે.

Related posts

अयोध्या विवाद मामले में मध्यस्थता समिति ने सुप्रीम में पेश की फाइनल रिपोर्ट

aapnugujarat

આજે હૈદરાબાદ-ચૈન્નઈ વચ્ચે પ્રથમ ક્વૉલિફાયર મેચ

aapnugujarat

Delhi-NCR’s climate improved for the second consecutive day

aapnugujarat

Leave a Comment

UA-96247877-1