Aapnu Gujarat
મનોરંજન

પદ્માવતી આગામી વર્ષે રીલિઝ થશે

સંજય લીલા ભણસાલી બાજીરાવ મસ્તાની પછી ફરી એક વાર પદ્માવતી ફિલ્મ સાથે ઈતિહાસના પન્નાઓ પરની વાર્તાને પરદા પર રજૂ કરવાની પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં ફરી એક વાર દિપીકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી ચમકશે. આ ફિલ્મ માટે નિર્દેશકથી લઈને એક્ટર્સ સુધીની દરેક વ્યક્તિ આ ફિલ્મ માટે સખત મહેનત કરી રહ્યાં છે. આ ફિલ્મમાં ભણસાલીનાં કેમેરામાંથી પહેલી વાર શાહિદ કપૂર પણ જોવા મળશે.અત્યાર સુધી આ ફિલ્મની રિલીઝ થવાની તારીખ નવેમ્બરની માનવામાં આવી રહી હતી, પણ હવે એવું સાંભળવા મળ્યું છે કે આ મલ્ટીસ્ટાર ફિલ્મ આ વર્ષે નહીં પરંતુ આવતા વર્ષે રિલીઝ થવાની છે. રિલીઝની તારીખ આગળ વધારવાનાં કારણે હવે બૉક્સ ઑફિસ પર રણવીર-દીપિકાની આ ફિલ્મ અનુષ્કા શર્માની પરી ફિલ્મ સાથે ટક્કર લેશે તેવું લાગી રહ્યું છે.મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે પદ્માવતી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. અનુષ્કા શર્માની પરી પણ ૯ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. જો કે હજી સુધી ફિલ્મ મેકર્સે એ વાતનો ખુલાસો નથી કર્યો કે કઈ તારીખે આ ફિલ્મ રિલીઝ થશે. અનુષ્કા શર્માની પરી સાથે હજી સુધી કોઈ ફિલ્મ રિલીઝ થવાની વાત સાંભળવામાં નથી આવી.તમને જણાવી દઈએ કે પદ્માવતીને ૧૭ નવેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મની રિલીઝ ડેટ સતત કોઈને કોઈ કારણોસર પાછળને પાછળ જતી ગઈ છે. તે જ કારણોસર ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ધકેલીને ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી ગઈ છે.

Related posts

इस साल के अंत में वेब सीरीज की शूटिंग शुरू करेंगी चित्रांगदा

aapnugujarat

ગોલ્ડ ફિલ્મને લઇને મૌની રોય ભારે આશાવાદી બની

aapnugujarat

ધોની પરની ફિલ્મની સિક્વલ બનાવવા માટે તૈયારી શરૂ થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1