Aapnu Gujarat
ગુજરાત

ભાવનગર જિલ્લો બન્યો કોરોનામુક્ત

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર જિલ્લામાં આજરોજ એકપણ નવા કોરોના પોઝિટિવ કેસ નહિં નોંધાતા ભાવનગર જિલ્લો કોરોનામુક્ત જીલ્લો બન્યો છે.જ્યારે તાલુકાઓમાં ૧ પુરૂષ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ, જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૨૭ કેસ પૈકી હાલ એકપણ દર્દી સારવાર હેઠળ નથી. જ્યારે જિલ્લામાં આજદિન સુધીમાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલ છે.

Related posts

ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા

editor

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન આર્ટ એક્ઝિબિશન શરૂ

aapnugujarat

દેશવિદેશમાં વસતાં ભાઇઓ માટે પૂનમ પૂર્વે બહેનોએ રક્ષા મોકલવાની કરી શરુઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1