રાષ્ટ્રપતિ માટે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે જેમાં એનડીએનાં ઉમેદવાર રામનાથ કોવિંદની યુપીએનાં ઉમેદવાર મીરાકુમાર સામે જીત થઈ છે. પરિણાામ જાહેર થતાંની સાથે જ સમગ્ર દેશમાં ભાજપનાં કાર્યકર્તાઓમાં ઉત્સાહની લહેર દોડી ગઈ હતી. ગુજરાત ભાજપનાં કોબા સ્થિત મુખ્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોએ પહોંચી આતશબાજી કરી હતી. ગુજરાત ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા ‘ભારત માતા કી જય’ના નારા લગાવવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં અંબાલાલ રોહિત (પ્રેસીડેન્ટ ગુજરાત અનુસુચિત જાતિ મોરચો), ધંધુકાના પૂર્વ સીનિયર સાંસદ રતિલાલ વર્મા, વિક્રમ ચૌહાણ (ભૂતપૂર્વ સેક્રેટરી ભાજપ), ઝવેરભાઈ ચાવડા (એક્સ. પ્રેસીડેન્ટ), ટી.કે.પરમાર (એક્સ ઓફિસ સેક્રેટરી), દેવેન વર્મા (યુથ સેલ કન્વીનર – ભાજપ), વિનોદભાઈ બોડકીયા (એક્સ કાઉન્સિલર), પી.એન.પંડ્યા (એક્સ એન્જિનિયર), ગોપાલભાઈ ચૌહાણ, રજનીભાઈ ચૌહાણ, કિર્તીભાઈ ડાભી, હર્ષદભાઈ રાઠોડ સહિતનાં કાર્યકરોએ રામનાથ કોવિંદની જીતને વધાવી લીધી હતી.
પાછલી પોસ્ટ