કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રી શ્રી રામદાસ આઠવલે ૩૦મી જૂનના રોજ સવારે ૧૧-૨૦ વાગે ડભોઇ તાલુકાના પલાસવાડા ગામે જય પ્રાયમરી દિવ્યાંગ સ્કુલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ બપોરે ૧૨-૩૦ વાગે સરકીટ હાઉસ ખાતે પોલીસ કમિશનરશ્રી, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સાથેની બેઠકમાં હાજરી આપશે. તેઓશ્રી ૧-૦૦ વાગે પત્રકાર પરિષદને સંબોધન કર્યા બાદ ૨.૩૦ વાગે અમદાવાદ જવા રવાના થશે.