વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમારનો એક જૂનો વીડિયો પોસ્ટ કરીને કટાક્ષ કર્યો છે. સુષ્મા સ્વરાજે પોતાના ટિ્વટર હેન્ડલ પર યુપીએ સરકારના કાર્યકાળ સમયે સ્પીકર તરીકે મીરા કુમારના વિપક્ષ સાથે વ્યવહારનો ઉલ્લેખ કર્યો છે. સુષ્મા સ્વરાજે બજેટ સત્રની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, વડાપ્રધાન કહે છે કે તેઓ અમારા કારણે વિદેશોમાં મજાકનો ભોગ બની રહ્યા છે. તેઓ અમારા પર સત્ર નહીં ચાલવા દેવાનો આરોપ લગાવી રહ્યા છે.
તેમણે કહ્યું છે કે, ૧૫ મી લોકસભા સરકારમાં સૌથી વધારે સંસદીય સત્રની કાર્યવાહી બાધિત રહી છે.તેમણે લોકસભા અધ્યક્ષ મીરા કુમારને ટાંકીને કહ્યું છે કે તેઓ તેમને જણાવવા માંગે છે કે ૧૫મી લોકસભાની યુપીએ સરકાર આઝાદી બાદની સૌથી વધુ ભ્રષ્ટ સરકાર છે. તેમણે ગોટાળા ગણાવીને વાર કર્યા હતા. આ ગોટાળાઓમાં તેમણે કોલસા અને ૨જી ગોટળાનો ઉલ્લેખ પણ કર્યો હતો.તેમણે કહ્યું હતુ કે, સરકાર ગોટાળા કરીને તેના પર બંધબારણે તપાસ બદલાવીને પડદો પાડવાનું કામ કરે છે. સુષ્મા સ્વરાજે એમ પણ કહ્યું કે, તેઓ જનહિત અને રાષ્ટ્રહિત માટે સંસદ બંધ કરાવે છે. વિપક્ષનું કતર્વ્ય છે કે તેઓ જનતાના હિતો માટે સત્તાપક્ષ પ્રત્યે સહજ પ્રહરીની ભૂમિકા નિભાવે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ