Aapnu Gujarat
ગુજરાત

11 જુલાઇ વિશ્વ વસ્તી દિવસ : કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકના સ્વાસ્થ્યની પુરી તૈયારી

     11મી જુલાઇએ વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે અને જે અંતર્ગત 11 થી 24જુલાઇ 2019 સુધી વિશ્વ જનસ્થિરતા પખવાડીયાની ઉજવણી કરાશે. વિરમગામ તાલુકાના કરકથલ, કુમરખાણ, મણીપુરા, ગોરૈયા, વાંસવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વિરમગામ અર્બન હેલ્થ સેન્ટરના સેવા વિસ્તારમાં ગુરૂ શિબીર, લઘુ શિબીર, રેલી, લક્ષીત દંપતિ સંપર્ક, જુથ ચર્ચા સહિતના જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસરો, સુપરવાઇઝરો, આરોગ્ય કર્મચારીઓ સહિત આશા બહેનોએ જહેમત ઉઠાવશે.
          તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વિશ્વ જનસ્થિરતા પખવાડિયા માટે“ કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકના સ્વાસ્થ્યની પુરી તૈયારી ” સુત્ર આપવામાં આવ્યુ છે. હાલના સંજોગોમાં દરેક બાળકને ગુણવત્તા સભર જીવન પુરૂ પાડવા માટે નાણાંકીય તથા પારિવારિક સમયબધ્ધ આયોજન ખુબ જ જરૂરી છે. બાળકનો ઉત્તમ ઉછેર માત પિતાની કાળજી ભરી માવજત માંગી લે છે. જેથી દરેક દંપતિએ પોતાના બાળકના વિકાસ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે સમયબધ્ધ આયોજન કરવું ખુબ જ જરૂરી બને છે. વસ્તી નિયંત્રણએ હાલના સંજોગોમાં તાતી જરૂરીયાત છે. વધતિ જતી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે દરેક લક્ષીત દંપતિ કુટુંબ નિયોજન આપનાવે તે ખુબ જ જરૂર છે. કુટુંબ નિયોજન માટેની તમામ સુવીધાઓ વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરોમાં ઉપલબ્ધ છે. વિરમગામ તાલુકામાં લક્ષીત દંપતીઓને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કુટુંબ નિયોજન માટે સતત સમજાવવામાં આવશે.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

સુરતમાં બે સાઢુ લઢ્યાં : એકનું મોત

aapnugujarat

ગોડાઉનમાં રહેલા સ્ટોકની નોંધણી માટે વેટ વિભાગ દ્વારા રેન્ડમ ચેકિંગ શરુ કરાયું

aapnugujarat

ભાજપ પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર

editor

Leave a Comment

UA-96247877-1