આજરોજ શ્રી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સોમનાથ મંદિરે પત્ની-પુત્ર-પુત્રવધુ-પૌત્રી સાથે દર્શનાર્થે આવ્યાં હતાં, તેઓએ શ્રી સોમનાથ મહાદેવને જલાભિષેક, પૂજા સામગ્રી અર્પણ કરી, ધ્વજા પૂજા, તત્કાલ મહાપુજા કરી શ્રી સોમનાથ મહાદેવનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતાં. અમિત શાહે તત્કાલ મહાપૂજા, ધ્વજા પુજા કરેલ. આ પ્રસંગે પુજારી દ્વારા પુષ્પહાર પહેરાવી તેઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી દ્વારા શાલ ઓઢાડી શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિહ્ન આપી અમિત શાહનું સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક, સોમનાથ
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ