અમરેલીની શાળાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ શિક્ષકા અને આચાર્ય સામે ફરિયાદ કરવામાં આવી છે કે, દિવાળી વેકેશન પહેલા શિસ્તનાં પાઠ ભણાવવાંનાં નામે બાળકો પર અત્યાચાર કર્યો હતો. આ શિક્ષકોએ બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા હતાં અને તેમની સાથે શિકારી કૂતરા પણ છોડ્યાં હતાં. આ ખબર સામે આવતાં ચકચાર મચી ગઇ છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે અમરેલીની વિદ્યાસભાની હોસ્ટેલમા રહી અભ્યાસ કરતા ધારી તાલુકાના દેવળા ગામના એક માસુમ છાત્રને અહીંના રેકટર આશિષ ઠુંમરે બે દિવસ સુધી રૂમમા પુરી દીધો હતો. આ ઉપરાંત તેણે માર પણ મારવામાં આવ્યો હતો. જે પછી તેની હાલત એટલી બગડી હતી કે તેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના સામે આવ્યાં પછી રેક્ટર સામે ફરિયાદ કરવામાં આવી હતી. આ ઘટનાનાં થોડા જ દિવસો પછી અન્ય છાત્રોને કૂતરા સાથે રૂમમાં પુરી દઇને કૂતરૂં ભસાવી ડરાવતા હતાં. બાળકોઆને કારણે જોર જોરથી રડી અને બૂમો પાડતા હતાં. આ બઘા અવાજ ૩ શિક્ષિકાઓએ પણ સાંભળ્યાં હતાં પરંતુ તેમને મદદ કરવાને બદલે તેઓ હસતા હતાં.
જે પછી બાળકોને આ શિક્ષકોએ ધમકી પણ આપી હતી તે જો આની જાણ કોઇને પણ કરશો તો તમને શાળામાંથી બહાર કાઢી મુકાશે. જોકે આ મામલે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
પાછલી પોસ્ટ